Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > શેફાલીના અવસાનની ઘટનાને કવર કરતા મીડિયા પર અકળાયો વરુણ ધવન

શેફાલીના અવસાનની ઘટનાને કવર કરતા મીડિયા પર અકળાયો વરુણ ધવન

Published : 30 June, 2025 11:06 AM | Modified : 01 July, 2025 07:04 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વરુણ અગાઉ પણ કોઈના મૃત્યુ પર અમુક મીડિયાવાળા જે રીતે વર્તે છે એની ટીકા કરી ચૂક્યો છે

વરુણ ધવનની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી

વરુણ ધવનની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી


શેફાલી જરીવાલાના અવસાન પછી ઘટનાને કવર કરવા મીડિયાએ કરેલા વર્તનથી વરુણ ધવન બરાબરનો અકળાયો છે. વરુણ અગાઉ પણ કોઈના મૃત્યુ પર અમુક મીડિયાવાળા જે રીતે વર્તે છે એની ટીકા કરી ચૂક્યો છે. શેફાલીના મૃત્યુ પર ફરી વાર આ મુદ્દો ઉપાડતાં વરુણે સોશ્યલ મીડિયા પર લખ્યું છે : ફરી વાર કોઈના અવસાનની ઘટનાને મીડિયા અસંવેદનશીલતા સાથે કવર કરી રહ્યું છે. મને એ નથી સમજાતું કે તમારે કોઈનું દુ:ખ શા માટે કવર કરવું છે, બધા આનાથી કેટલા અન્કમ્ફર્ટેબલ હોય છે. કોઈને આનાથી શું ફાયદો થવાનો છે? મીડિયાના મારા મિત્રોને મારી વિનંતી છે કે કોઈ એવું નહીં ઇચ્છે કે તેની અંતિમ યાત્રા આ રીતે કવર થાય.


વરુણની આ પોસ્ટ જાહ્નવી કપૂરે પણ શૅર કરી છે અને એની સાથે તેણે લખ્યું છે કે ફાઇનલી આ મુદ્દો કોઈએ ઉપાડ્યો.


Whatsapp-channel Whatsapp-channel

01 July, 2025 07:04 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK