Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


મગદળનો સ્વાદ લોકોને દાઢે વળગે તેવો હોય છે - તસવીર સૌજન્ય પૂજા સાંગાણી

જ્યાફતઃ છોટાકાકાના મગદળનો સ્વાદ આખું વર્ષ લોકપ્રિય, શ્રાદ્ધમાં ખાસ

હિન્દુ ધર્મમાં શ્રાદ્ધ માસને અત્યંત પવિત્ર માનવામાં આવે છે. આ અવસરે ચાણોદ અને સિદ્ધપુર ગુજરાતના એવા બે પ્રાચીન તીર્થસ્થાનો છે, જ્યાં પિતૃઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવે છે. વિવિધ તીર્થસ્થાનોમાં માતૃ શ્રાદ્ધ વિધિ કરતા હજારો શ્રદ્ધાળુઓ પાટણ જિલ્લાની પ્રાચીન નદી સરસ્વતીના કિનારે વસેલા ઐતિહાસિક શહેર સિદ્ધપુરમાં ભેગા થાય છે. અહીંનું ખાસ આકર્ષણ છે `છોટાકાકા મગદળવાળા`, જ્યાં શ્રાદ્ધ દરમિયાન ભાવના અને પરંપરાનો ખાસ અનુભવ થાય છે. પરંપરાગત રીતરિવાજ સાથે તથા અતિશય કાળજીપૂર્વક બનાવાતું આ મગદળ માત્ર ગુજરાતમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં લોકપ્રિયતા મેળવી ચૂક્યું છે. ચાર પેઢીથી સંચાલિત આ પ્રખ્યાત પરંપરા શ્રદ્ધા અને સ્વાદનું અનોખું સંકલન રજૂ કરે છે. આ લેખનું મથાળું વાંચતાં જ તમને અંદાજ આવી ગયો હશે કે આજે હું સિદ્ધપુરના પ્રખ્યાત મગદળની ખાસિયતો અને તેની પ્રસિદ્ધિ વિશે વાત કરવા જઈ રહી છું. ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કોલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો : પૂજા સાંગાણી)

12 September, 2025 03:52 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
કાઠિયાવાડી ભોજનનો સ્વાદ લોકોને દાઢે વળગ્યો છે - સૌરાષ્ટ્રનું ખાણું ભરુચ થઇને અમદાવાદ પહોંચ્યું - તસવીર સૌજન્ય પૂજા સાંગાણી

જ્યાફતઃ ભરૂચના જાણીતા શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબાનો સ્વાદ હવે અમદાવાદમાં ફેમસ

કાઠિયાવાડી ભોજનનો સ્વાદ માણવા ગુજરાતીઓ દરેક ઋતુમાં ખાસ ઘરના રોજિંદા જમણ વચ્ચે અઠવાડિયામાં કે મહિને એક વખત કાઠિયાવાડી ઢાબાની મજા માણવા જરૂર પહોંચી જતા હોય છે. તેમના માટે આ ભોજન માત્ર સ્વાદ નહીં પણ એક સંસ્કૃતિ છે. એવામાં ભરૂચની પ્રસિદ્ધ બ્રાન્ડ શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા (SKKD), જેણે કાઠિયાવાડી વાનગીઓ સાથે પંજાબી ભોજનમાં અનોખો કાઠિયાવાડી ટચ આપી ખાદ્ય જગતમાં આગવી ઓળખ ઉભી કરી છે, આજે દેશ-વિદેશમાં 100થી વધુ શાખાઓ સાથે લોકપ્રિય બની છે. ગુજરાતના હાઇવે પર આ બ્રાન્ડની અનેક શાખાઓ છે, અને અમદાવાદમાં પણ સેટેલાઇટ, બોપલ, ગોતા, ભાટ સર્કલ, વસ્ત્રાલ, નિકોલ સહિતના અનેક વિસ્તારોમાં સ્થાયી ઉપસ્થિતિ ધરાવે છે. આ તમામમાં તાજેતરમાં વિષ્ણુભાઈ જોશી દ્વારા સાયન્સ સિટી વિસ્તારમાં ખોલવામાં આવેલી નવી શાખા ખાસ ચર્ચામાં છે, જ્યાં મારો અનુભવ વિશેષ યાદગાર રહ્યો. માત્ર એક મહિના દરમિયાન જ અહીં ભારે ભીડ ઉમટી રહી છે, સાથે જ ખાસ આકર્ષણ રૂપે બપોરનું જમણ સાંજે ચાર વાગ્યા સુધી ઉપલબ્ધ રહે છે. ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કોલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો : પૂજા સાંગાણી)

05 September, 2025 03:11 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
મોદકની વેરાયટીઝ લોકોમાં પ્રચલિત થઇ રહી છે - તસવીર સૌજન્ય પૂજા સાંગાણી

જ્યાફતઃ ગણપતિબાપ્પાના ભાવતા મોદકની વાતો અને વાનગીઓ

ગણેશ ઉત્સવના પાવન અવસરે દેશભરમાં ભક્તો પોતાના લાડકા ગણપતિ બાપ્પાને ધામધૂમથી આવકારી રહ્યા છે. એક તરફ આ વર્ષે પર્યાવરણ જાગૃતિ માટે અમદાવાદ સહિત ગુજરાતના અનેક શહેરોમાં ગાયના છાણ અને માટીથી બનેલી ઈકો-ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓ તૈયાર કરવામાં આવી છે, જે ઘરમાં જ સહેલાઈથી વિસર્જિત કરી શકાય છે. જયારે બીજી તરફ, ભક્તિ સાથે સ્વાદનો આ તહેવાર ઉલ્લાસપૂર્વક મોદકની વિવિધ વેરાયટીઝના પ્રસાદ સાથે પરંપરાગત રીતે ઉજવાય રહ્યો છે. પૌરાણિક માન્યતા મુજબ ગણેશજીનો સર્વપ્રિય પ્રસાદ મોદક માનવામાં આવે છે. કહેવાય છે કે દંતકથા મુજબ ઋષિ અત્રિની પત્ની અનુસૂયાના આશ્રમમાં અનેક વાનગીઓ પીરસાયા છતાં ભગવાન ગણેશ માત્ર મોદકથી જ તૃપ્ત થયા હતા. એ જ પ્રસંગે શિવજીને 21 ઓડકાર આવ્યા હતા, જેના પરથી ગણેશપૂજનમાં 21 મોદક અર્પણ કરવાની પરંપરા આજ સુધી અવિરત ચાલી રહી છે. માત્ર પુરાણોમાં જ નહીં, પરંતુ રામાયણ, મહાભારત, સમકાલીન ઇતિહાસ તેમજ ચરક સંહિતામાં પણ મોદકનો ઉલ્લેખ જોવા મળે છે.  આજના સમયમાં પરંપરાગત સ્ટીમ્ડ મોદક એટલે કે ઉકાડીચે મોદક સાથે તળેલા મોદક, ચણા દાળ મોદક, ડ્રાયફ્રૂટ મોદક, ઓટ્સ મોદક, ચોકલેટ મોદક, બકલાવા મોદક, પનીર મોદક, કાજુકતરી મોદક, ખોયા મોદક, મલાઈ મોદક, ચોકલેટ કુનાફા મોદક, તલના મોદક વગેરે જેવા અનેક નવતર સ્વાદિષ્ટ વિકલ્પો પણ ગણેશજીને અર્પણ કરવામાં આવે છે. અને અમુક ફાઈવ સ્ટાર રેસ્ટોરન્ટમાં સેવરી મોદકને રેવિયોલી સ્ટાઈલમાં પાલક ગ્રેવી સાથે પણ પીરસવામાં આવે છે. તો ચાલો આજે આપણે આવી જ કેટલીક ખાસ મોદક રેસીપી પર નજર કરીએ. ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કોલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો : પૂજા સાંગાણી)

30 August, 2025 06:52 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
ગણગોરની વાનગીઓનો સ્વાદ લોકોને દાઢે વળગે તેવો છે - તસવીર સૌજન્ય પૂજા સાંગાણી

જ્યાફતઃ સુરત હોય કે અમદાવાદ - "ગણગોર" રેસ્ટોરન્ટનો સ્વાદ ચટાકેદાર

ગુજરાતની ખાદ્યસંસ્કૃતિના નકશા પર જો કોઈ શહેર પોતાના વૈવિધ્યભર્યા અને વિરાટ સ્વાદવિશ્વ માટે ઓળખાય છે, તો એ છે, સુરત. અહીં લોચો, ખમણ, ભજીયા જેવી ચટપટી વાનગીઓથી લઈને રાત્રિના ૧૨ વાગ્યા પછી પણ ધમધમતા ફૂડ સ્ટોલ્સ, કેફે અને રેસ્ટોરન્ટ સુધી, શહેરના દરેક ખૂણે કંઇક નવું અને ખાસ માણવા મળે છે. ખાસ કરીને સુરતના ખાણી પીણીના વૈભવની વાત કરું તો ગુજરાતમાં સ્ટ્રીટ ફુડની સૌથી વધુ અનોખી વેરાયટી સુરતમાં મળતી હશે. અહીંનું સ્ટ્રીટ ફુડ નેટવર્ક એટલું વિશાળ છે કે કદાચ તે રેસ્ટોરન્ટ ઇન્ડસ્ટ્રી કરતાં વધુ ટર્નઓવર હાંસલ કરતું હશે. અનેક ઉદાહરણો જોવા મળે છે કે લોકોએ સામાન્ય ખુમચાથી શરૂઆત કરી, પછી લારી સુધી પહોંચ્યા, લારીમાંથી સ્ટોલ, સ્ટોલમાંથી દુકાન અને બાદમાં દુકાનોની અનેક શાખાઓ ગામથી શહેર સુધી ફેલાવી દીધી. એટલે જ સ્ટ્રીટ ફુડની વાત આવે ત્યારે સુરતનો જોટો ક્યાય ના જડે. હું સુરત અનેક વખત ગઈ છું અને દર સફરમાં મને નવી વાનગી અને નવી જગ્યાનો અનુભવ થયો છે. તાજેતરમાં મેં સુરતની એક સૌથી જૂની અને લોકપ્રિય ગણગોર રેસ્ટોરન્ટની મુલાકાત લીધી હતી. ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કોલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો : પૂજા સાંગાણી)

22 August, 2025 05:01 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
શ્રીકૃષ્ણને પંજરીનો પ્રસાદ ધરાવાય છે - તસવીર સૌજન્ય પૂજા સાંગાણી

જ્યાફતઃ જાણીએ જન્માષ્ટમી પર શ્રીકૃષ્ણને પંજરી ધરવાનું મહત્વ અને રેસિપી

"નંદ ઘેર આનંદ ભયો, જય કન્હૈયા લાલ કી... હાથી, ઘોડા, પાલખી"... જેવા ભજન સાથે દેશભરમાં જન્માષ્ટમીનો તહેવાર ભક્તિભાવથી ઉજવાઈ રહ્યો છે. શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિને ભગવાન શ્રીકૃષ્ણના જન્મદિવસ તરીકે ઉજવવાની પરંપરા શતાબ્દીઓથી ચાલી આવે છે. આ દિવસે મંદિરો અને ઘરોમાં બાલગોપાલની મૂર્તિઓને સૌંદર્યથી શણગારી, આરતી અને ભોગ અર્પણ કરવામાં આવે છે. ભક્તિની મીઠાશ પ્રસાદ સ્વરૂપે વહેંચાય છે, જેનો સ્વાદ કોઈ તીર્થસ્થળના વિશિષ્ટ પ્રસાદ જેમ અદ્વિતીય હોય છે. જેમ અંબાજીનો મોહનથાળ, સોમનાથના ચીકી-લાડવા, મહુડીની સુખડી અથવા નડિયાદના સંતરામ મંદિરે પ્રસિદ્ધ દર પોષી પૂનમે બોરનો પ્રસાદ હોય છે. જેમ દરેક પ્રસાદનું એક ધાર્મિક અને પરંપરાગત મહત્વ છે, તેમ નાગ પાંચમના ખાજા, છઠની બાજરી ચોખાની કુલેર, શીતળા સાતમે ઠંડુ ભોજન અને જન્માષ્ટમી પર પંજરીનો પ્રસાદ ધરાવવાની પરંપરા પણ એટલી જ પાવન છે. ગુજરાતી ઘરોમાં ખીર, સુખડી, શીરો જેવી વાનગીઓ તહેવારો કે ખાસ પ્રસંગે પ્રસાદ રૂપે વારંવાર બનતી જ હોય છે. ભલે તે સરળ અને સામાન્ય સામગ્રીથી બને, તેમ છતાં એનો સ્વાદ કુદરતી રીતે એટલો મીઠો અને મનમોહક હોય છે કે વર્ણન કરવું મુશ્કેલ બને. એમ જ દરેક તહેવારમાં બનતા પ્રસાદનું પોતાનું આગવું મહત્વ અને નિરાળું સ્થાન હોય છે. કાન્હાજીના મધરાત્રીના જન્મસમયે ઉપવાસ પારણા માટે ભક્તો પંજરી ગ્રહણ કરીને વ્રત પૂર્ણ કરે છે, સાથે માખણ અને સાકર અર્પણ કરીને કાન્હાજી પ્રત્યેના પ્રેમને વ્યક્ત કરે છે. નવમીના દિવસે તો શ્રીકૃષ્ણને છપ્પન ભોગ અર્પણ કરીને ભક્તિની પરાકાષ્ઠા ઉજવવામાં આવે છે. ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કોલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો : પૂજા સાંગાણી)

16 August, 2025 07:16 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અક્ષર દાબેલીના ચાહકોની સંખ્યા મોટી છે - તસવીર સૌજન્ય પૂજા સાંગાણી

જ્યાફતઃ લીલી તુવેરના મસાલાથી બનેલી પેટલાદની પ્રખ્યાત દાબેલી

દાબેલીનું નામ આવે એટલે મોઢામાં પાણી ન આવે એવું ભાગ્યે જ થાય. અને ખાસ કરીને કચ્છની દાબેલીની વાત આવે તો એના મસાલેદાર સ્વાદની યાદ મનમાં તરત તાજી થઈ જાય. 1960માં માંડવીના કેશવજી અને ગાભાભાઈએ જે રીતે બટાકાનું મસાલાવાળું પૂરણ પાઉંમાં ભરીને દાબેલી શરૂ કરી હતી, એ આજે, "દેશી બર્ગર" તરીકે આખા વિશ્વમાં લોકપ્રિય બની છે. એ જ રીતે પેટલાદની "લીલવાની દાબેલી" પણ પોતાનું એક અનોખું સ્થાન ધરાવે છે.  ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કોલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો : પૂજા સાંગાણી)

08 August, 2025 06:33 IST | Petlad | Gujarati Mid-day Online Correspondent
એન્ટોઈન્સ રેસ્ટોરન્ટની વાઇબ જોતાં વ્હેંત જ ગમી જાય એવી છે

ન્યૂ ઓર્લિન્સ ફરવા જાવ ત્યારે અહીંની વાનગીઓ ખાવાનું રખે ચૂકતાં

ન્યૂ ઓર્લિયન્સમાં, ખોરાક એ માત્ર એક રસોઈની મજાની વાત નથી; તે શહેરના સમૃદ્ધ ઇતિહાસ અને વિકસતી સંસ્કૃતિનું પ્રતિબિંબ છે. બેગ્નેટ્સ અને ગમ્બો જેવા પ્રિય સ્થાનિક પસંદગીઓથી લઈને પ્રતિષ્ઠિત રેસ્ટોરન્ટ્સમાં પીરસાતી વૈશ્વિક પ્રેરણાવાળી વાનગીઓ સુધી; આ શહેર દરેક વળાંકે એક અવિસ્મરણીય ભોજન અનુભવ પ્રદાન કરે છે. કૂલિનેરી ન્યૂ ઓર્લિયન્સ ઇવેન્ટ શહેરના લાઇવ ફૂડના સીન પર પ્રકાશ પાડે છે, જેમાં પ્રખ્યાત રેસ્ટોરન્ટ્સમાં મલ્ટી-કોર્સ, પ્રિક્સ-ફિક્સ ખાણું પીરસે કરે છે. આ એક મહિનાનો લાંબો કાર્યક્રમ શહેરના સ્વાદોની શોધખોળ કરવાનો શ્રેષ્ઠ સમય છે, જે ન્યૂ ઓર્લિયન્સને સર્વત્ર ખોરાક પ્રેમીઓ માટે એક ટોચના ડેસ્ટિનેશન તરીકે સ્થાપિત કરે છે. ઑગસ્ટમાં તમે આ રેસ્ટોરન્ટ્સની મુલાકાત લઇને ન્યૂ ઓર્લિયન્સ ભોજનની મજા માણી શકશો. એન્ટોઈન્સ રેસ્ટોરન્ટ - ફ્રેન્ચ ક્વાર્ટરમાં આવેલું એન્ટોઈન્સ તેના સુંદર અને ઐતિહાસિક રેસ્ટોરન્ટ સેટિંગ અને 14 ખાનગી ડાઇનિંગ રૂમમાં પરંપરાગત ફ્રેન્ચ ક્રિઓલ ભોજન તેમજ આધુનિક ક્લાસિક વાનગીઓ પીરસે છે.

04 August, 2025 05:24 IST | New Orleans | Gujarati Mid-day Online Correspondent
પૂજા સાંગાણી સહિત ફરાળી ફ્યૂઝનની તસવીરોનો કૉલાજ

ફરાળી ફ્યુઝનથી ટ્રેડિશનલ સુધી, અમદાવાદમાં શ્રાવણ સ્પેશ્યલ વાનગીઓની માણો ટ્રીટ

શ્રાવણ મહિનો એટલે ભક્તિભાવથી ભરેલો પવિત્ર પર્વ, જ્યાં ઉપવાસ, તપસ્યાની સાથે સ્વાદિષ્ટ અને સાત્વિક ભોજન પણ મહત્વપૂર્ણ ભુમિકા ભજવે છે. ખાસ કરીને અમદાવાદ જેવા શહેરમાં, જ્યાં સ્વાદના શોખીનો દરેક ઋતુ અને તહેવાર માટે નવીનતાનું સ્વાગત કરે છે, ત્યાં શ્રાવણ માસમાં ફરાળી વાનગીઓનો રાફડો ફાટી નીકળવો એ કોઈ નવાઈની વાત નથી. પરંતુ પરંપરાગત સંસ્કૃતિને આધુનિક સ્વરૂપમાં રજૂ કરવાનું કાર્ય અમદાવાદની અનેક રેસ્ટોરાં, કલાઉડ કિચન અને હોમશેફ્સ કરી રહ્યા છે, તે ખરેખર પ્રશંસનીય છે. ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કોલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો : પૂજા સાંગાણી)

02 August, 2025 07:27 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK