Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > ડાયાબિટીઝના દરદીઓને સ્કિન-પ્રૉબ્લેમ થવા પાછળનું કારણ શું?

ડાયાબિટીઝના દરદીઓને સ્કિન-પ્રૉબ્લેમ થવા પાછળનું કારણ શું?

Published : 04 September, 2025 12:04 PM | IST | Mumbai
Dr. Meeta Shah

હાર્ટ-ડિસીઝ, કિડની-ડિસીઝ, આંખની તકલીફની સાથે-સાથે આ દરદીઓને થતી એક બીજી પણ વ્યાપક સમસ્યા છે

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

ડૉક્ટર ડાયરી

પ્રતીકાત્મક ફાઈલ તસવીર


ડાયાબિટીઝ ખુદ એક રોગ નથી પરંતુ અસંખ્ય રોગોને આવકારનારી શરીરની એક અવસ્થા છે. શરીરનું દરેક અંગ ડાયાબિટીઝને કારણે અસરગ્રસ્ત થઈ શકે છે. હાર્ટ-ડિસીઝ, કિડની-ડિસીઝ, આંખની તકલીફની સાથે-સાથે આ દરદીઓને થતી એક બીજી પણ વ્યાપક સમસ્યા છે એ છે સ્કિન-પ્રૉબ્લેમ્સ. ડાયાબેટિક ડર્મોપથી, NLD- નેક્રોબાયોસિસ લિપોઇડિકા ડાયાબેટિકોરમ (NLD), વિટિલિગો એટલે કે શરીર પર આવતા સફેદ ડાઘ જેવી સ્કિનની સમસ્યા ડાયાબિટીઝના દરદીઓમાં સામાન્ય રીતે જોવા મળે છે.


ડાયાબિટીઝ જેને હોય અને તેના લોહીમાં લાંબો સમય સુધી શુગર રહે તો એ સ્કિનને પણ અસર કરે છે. ડાયાબિટીઝના ૩૩ ટકા દરદીઓને સ્કિન-પ્રૉબ્લેમ થાય છે. સૌથી સારી વાત એ છે કે મોટા ભાગના સ્કિન-પ્રૉબ્લેમ્સ રોકી શકાય એમ હોય છે જો એનું નિદાન જલદી થઈ શકે. પરંતુ જો એ પ્રૉબ્લેમ્સને અવગણવામાં આવે તો સામાન્ય સ્કિન-પ્રૉબ્લેમ એક મોટી સમસ્યા બની શકે છે, જેનાં ઘણાં ગંભીર પરિણામો પણ આવી શકે છે. ઘણા સ્કિન-ડિસીઝ ફક્ત ડાયાબિટીઝના દરદીઓને જ થાય છે તો ઘણા ડિસીઝ એવા હોય છે જે ડાયાબિટીઝને કારણે વધુ ગંભીર બનતા હોય છે.



ડાયાબિટીઝના દરદીઓમાં શા માટે સ્કિન-પ્રૉબ્લેમ થાય છે, એનું મૂળ શું છે એ સમજવાનો પ્રયાસ કરીએ. ઘણાં રિસર્ચ જણાવે છે કે આ રોગ પાછળનું કારણ ડાયાબેટિક ન્યુરોપથી એટલે કે ડાયાબિટીઝની જે અસર લોહીની નળીઓ પર થઈ છે એ હોઈ શકે છે. ડાયાબિટીઝના દરદીઓને નસોની સંવેદના જ ધીમે-ધીમે ઓછી થતી જાય છે. જ્યારે કોઈ વ્યક્તિને કંઈક ખૂંચે, વાગે કે ગરમ વસ્તુથી તે દાઝી જાય તો નસોની સંવેદના છે જેને લીધે તેને એ મહેસૂસ થાય છે કે મારી સ્કિનને તકલીફ થઈ રહી છે. ડાયાબિટીઝના દરદીઓમાં આ સંવેદના સાવ ઓછી થઈ જવાને કારણે ઘણીબધી વાર તેમને ખબર જ નથી પડતી કે તેમને કોઈ પ્રૉબ્લેમ થયો છે. એને કારણે ગરમ વસ્તુ હાથમાં પકડેલી જ રહી જાય છે, શૂ ડંખતું હોય તો એ ડંખ ઇન્ફેક્શનમાં ન પરિણમે ત્યાં સુધી ખબર જ નથી પડતી કે કોઈ પ્રૉબ્લેમ છે. આમ તેમની સ્કિન-કન્ડિશન ખરાબ થતી જાય છે જે ઠીક કરવી પણ સહેલી હોતી નથી.


આ સિવાય ડાયાબિટીઝના દરદીઓમાં બ્લડ-સર્ક્યુલેશન યોગ્ય હોતું નથી. સ્કિનના જે કોષોને લોહી બરાબર મળતું નથી ત્યાં કોઈ ને કોઈ પ્રૉબ્લેમ થવાની પૂરી શક્યતા રહે છે. આ સિવાય મોટા ભાગના સ્કિન-પ્રૉબ્લેમ્સ પાછળ જવાબદાર એક કારણ છે અને એ છે ઓબેસિટી. ડાયાબિટીઝ જેમને છે એવા મોટા ભાગના લોકો ઓબીસ હોય છે. આ સિવાય જેમને ડાયાબિટીઝ છે તેમને ઇન્ફેક્શન પણ ખૂબ જલદી થાય છે. સ્કિન-પ્રૉબ્લેમમાં મોટા ભાગના પ્રૉબ્લેમ્સ ઇન્ફેક્શનને કારણે પણ હોય છે. એટલે ડાયાબિટીઝના દરદીઓએ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.


Whatsapp-channel Whatsapp-channel

04 September, 2025 12:04 PM IST | Mumbai | Dr. Meeta Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK