Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ગિરનારની લીલી પરિક્રમા આ વર્ષે નહીં થઈ શકે

ગિરનારની લીલી પરિક્રમા આ વર્ષે નહીં થઈ શકે

Published : 01 November, 2025 02:34 PM | IST | Junagadh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

માત્ર પ્રતીકાત્મક પરિક્રમા કેટલાક સાધુ-સંતો કરશે : પરિક્રમાના રૂટનું સાધુ-સંતો અને અધિકારીઓએ નિરીક્ષણ કરીને કર્યો નિર્ણય

પરિક્રમાના રૂટનું સાધુ-સંતો અને અધિકારીઓએ નિરીક્ષણ કર્યું હતું.

પરિક્રમાના રૂટનું સાધુ-સંતો અને અધિકારીઓએ નિરીક્ષણ કર્યું હતું.


સૌરાષ્ટ્રના યાત્રાધામ જૂનાગઢને અડીને આવેલા ગિરનાર પર્વતની લીલી પરિક્રમા બીજી નવેમ્બરથી શરૂ થવાની હતી, પરંતુ કમોસમી વરસાદને કારણે ઊભી થયેલી વિકટ સ્થિતિને કારણે આ વર્ષે પરિક્રમા નહીં થઈ શકે, એને મોકૂફ રાખવામાં આવી છે. ગઈ કાલે પરિક્રમાના રૂટનું સાધુ-સંતો અને અધિકારીઓએ નિરીક્ષણ કરીને પદયાત્રીઓની સલામતીને લઈને આ નિર્ણય કર્યો હતો.  
જૂનાગઢ જિલ્લાના કલેક્ટર અનિલ રાણાવસિયાએ કહ્યું હતું કે ‘કમોસમી વરસાદને કારણે લીલી પરિક્રમા મોકૂફ રાખવામાં આવી છે. કમોસમી વરસાદને કારણે પરિક્રમાના રૂટ પર કાદવ-કીચડ થવાની સાથે રસ્તાનું ધોવાણ થયું છે. સીડીના ભાગમાં શેવાળ થવાથી લપસી જવાની સાથે ઈજા પણ થઈ શકે છે. જોકે લીલી પરિક્રમાની પરંપરા જળવાઈ રહે એ માટે સાધુ-સંતોને સાથે રાખીને પ્રતીકાત્મક રીતે પરિક્રમા કરવામાં આવશે.’


Whatsapp-channel Whatsapp-channel

01 November, 2025 02:34 PM IST | Junagadh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK