Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > જાન્યુઆરીમાં લગ્ન થવાનાં હતાં તો આત્મહત્યા કેમ?

જાન્યુઆરીમાં લગ્ન થવાનાં હતાં તો આત્મહત્યા કેમ?

Published : 23 November, 2025 11:34 AM | IST | Surat
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સુરતની ફિઝિયોથેરપિસ્ટ યુવતીએ કૅફેના સોફા પર ચડીને નવમા માળેથી નીચે ઝંપલાવ્યું

રાધિકા કોટડિયા

રાધિકા કોટડિયા


સુરતમાં શુક્રવારે મોડી સાંજે એક ફિઝિયોથેરપિસ્ટ રાધિકા કોટડિયાએ નવમા માળેથી ઝંપલાવીને મોતને વહાલું કરી લીધું હતું. જાન્યુઆરીમાં તેનાં લગ્ન થવાનાં હતાં. તેણે કૅફેના સોફા પર ચડી નવમા માળેથી નીચે પડતું મૂકતાં પરિવારના માથે આભ તૂટી પડ્યું હતું.

સુરતના અસિસ્ટન્ટ કમિશનર ઑફ પોલીસ વિપુલ પટેલે મીડિયાને કહ્યું હતું કે ‘પ્રારંભિક તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે મૃત્યુ પામનાર રાધિકા કોટડિયાનાં જાન્યુઆરીમાં લગ્ન થવાનાં હતાં. જોકે કયાં કારણોસર આત્મહત્યા કરી છે એ દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. આ યુવતી ફિઝિયોથેરરિસ્ટ છે. જે બિલ્ડિંગમાં તેની ફિઝિયોથેરપીની નાની હૉસ્પિટલ છે એ બિલ્ડિંગના ઉપરના માળે કૅફેમાં તે ચા પીવા ગઈ હતી.’ 



સુરતના સરથાણા વિસ્તારમાં શૉપિંગ કૉમ્પ્લેક્સના નવમા માળે આવેલી ચાય પાર્ટનર કૅફેમાં રાધિકા એકલી ચા પીવા ગઈ હતી. કહેવાય છે કે આ જ કૅફેમાં તે તેના મંગેતર સાથે પણ આવતી હતી. શુક્રવારે સાંજે રાધિકા એકલી આવી હતી અને ચાનો ઑર્ડર આપ્યો હતો. અચાનક તેણે સોફા પર ચડીને નીચે કૂદીને જીવન ટૂંકાવ્યું હતું. કૅફેના સ્ટાફનો એક કર્મચારી રુકો મૅમ, રુકો મૅમ કહીને દોડ્યો હતો, પણ એ પહેલાં જ રાધિકા નીચે પડી ચૂકી હતી. પોલીસ રાધિકાના મોબાઇલની તપાસ કરી રહી છે જેમાં રાધિકા અને તેના મંગેતર વચ્ચેની શંકાસ્પદ વૉટ્સઍપ ચૅટ સામે આવી છે. એને લઈને પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.


Whatsapp-channel Whatsapp-channel

23 November, 2025 11:34 AM IST | Surat | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK