Masood Azhar Starts Online Campaign to Build Jaish-e-Mohammed Camp: કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી, ભારતીય સૈન્ય દળોએ ઑપરેશન સિંદૂર દરમિયાન હવાઈ હુમલા કરીને પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં નવ આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો હતો.
મસૂદ અઝહર ફાઇલ તસવીર (સૌજન્ય: સોશિયલ મીડિયા)
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી, ભારતીય સૈન્ય દળોએ ઑપરેશન સિંદૂર દરમિયાન હવાઈ હુમલા કરીને પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં નવ આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો હતો. આમાં કુખ્યાત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદનું બહાવલપુર મુખ્યાલય પણ સામેલ હતું. હવે સમાચાર છે કે આ આતંકવાદી સંગઠનના વડા મસૂદ અઝહરે મુખ્યાલયને ફરીથી બનાવવા માટે ઝુંબેશ શરૂ કરી છે અને તેના માટે ઑનલાઈન ભંડોળ એકત્ર કરી રહ્યું છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જમાત દ્વારા એક પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે પાકિસ્તાનના બહાવલપુરમાં સુભાન અલ્લાહ મસ્જિદનું પુનઃનિર્માણ થઈ રહ્યું છે. સુભાન અલ્લાહ મસ્જિદ જૈશ-એ-મોહમ્મદનું મુખ્ય મથક હતું. પોસ્ટમાં કહેવામાં આવ્યું હતું કે બધાએ આ માટે સાથે મળીને કામ કરવું જોઈએ અને પૈસા એકઠા કરવા જોઈએ. પોસ્ટમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે કોઈને ખબર ન હોવી જોઈએ કે કોણે કેટલું દાન આપ્યું.
ADVERTISEMENT
શહીદ મસ્જિદો ફરી બનાવશે: મસૂદનો દાવો
અહેવાલ અનુસાર, જૈશના વડા મસૂદ અઝહરે આ પોસ્ટમાં કહ્યું છે કે આ અભિયાનથી જમીનના ઘણા ભાગો સ્વર્ગ બની જશે, શહીદ મસ્જિદો ફરી બનશે અને તેમનો વૈભવ પાછો આવશે. પોસ્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે `જિહાદ` માટે ઝંખતા લોકો માટે નવા રસ્તા ખુલશે. મસૂદ અઝહર દ્વારા ભીખ માગવાનું આ અભિયાન આજથી શરૂ થયું છે.
આતંકનું કેન્દ્ર 15 એકર વિસ્તારમાં ફેલાયેલું છે
તમને જણાવી દઈએ કે 22 એપ્રિલે પહલગામમાં આતંકવાદીઓએ 26 પ્રવાસીઓને તેમનો ધર્મ પૂછીને મારી નાખ્યા બાદ, ભારતીય સેનાએ 6 અને 7 મેની રાત્રે ઑપરેશન સિંદૂર શરૂ કર્યું અને પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં નવ આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો. 22 મિનિટના આ ઑપરેશનમાં, ભારતીય સેનાએ જૈશ-એ-મોહમ્મદ, લશ્કર-એ-તૈયબા અને હિઝબુલ મુજાહિદ્દીનના ઠેકાણાઓનો નાશ કર્યો. આમાં સૌથી મહત્ત્વપૂર્ણ સુભાન અલ્લાહ મસ્જિદ હતી. પાકિસ્તાનના પંજાબ પ્રાંતના બહાબલપુરમાં સ્થિત, આ મસ્જિદ જૈશ-એ-મોહમ્મદનું સૌથી મહત્ત્વપૂર્ણ આતંકવાદી કેન્દ્ર હતું, જે 15 એકર વિસ્તારમાં ફેલાયેલું છે. તે પુલવામા હુમલા જેવા આતંકવાદી હુમલાઓનું આયોજન અને તાલીમ આપવાનો ગઢ રહ્યો છે.
ભારતની સુરક્ષા-એજન્સીઓએ પાકિસ્તાન સરકાર દ્વારા જાહેર કરાયેલા બાયોમૅટ્રિક પુરાવા અને દસ્તાવેજોનો હવાલો આપીને જણાવ્યું હતું કે ૨૮ જુલાઈએ ‘ઑપરેશન મહાદેવ’માં ઠાર થયેલા ત્રણેય આતંકવાદીઓ પાકિસ્તાની નાગરિક હતા. શ્રીનગરની બહાર હાથ ધરવામાં આવેલા ઑપરેશન મહાદેવમાં લશ્કર-એ-તય્યબા (LeT)ના આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા. આ ત્રણેય આતંકવાદીઓએ બાવીસમી એપ્રિલે પહલગામની બૈસરન ઘાટીમાં નિર્દોષ ટૂરિસ્ટો પર અમાનવીય ગોળીબાર કર્યો હતો જેમાં ૨૬ જણે જીવ ગુમાવ્યા હતા. હુમલા બાદ આતંકવાદીઓ દાચીગામ-હરવન જંગલમાં છુપાયા હતા.

