Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ગડચિરોલીના ૬૧ નક્સલી કૅડરોએ આત્મસમર્પણ કર્યું

ગડચિરોલીના ૬૧ નક્સલી કૅડરોએ આત્મસમર્પણ કર્યું

Published : 16 October, 2025 09:34 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગઈ કાલે ગડચિરોલી પોલીસ સમક્ષ અને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં ૬૧ સિનિયર નક્સલી કૅડરોએ આત્મસમર્પણ કર્યું હતું

દેવેન્દ્ર ફડણવીસે આ શરણાગતિને મહારાષ્ટ્રમાં નક્સલી ચળવળના ઇતિહાસમાં સૌથી મોટી શરણાગતિ તરીકે ઓળખાવી હતી.

દેવેન્દ્ર ફડણવીસે આ શરણાગતિને મહારાષ્ટ્રમાં નક્સલી ચળવળના ઇતિહાસમાં સૌથી મોટી શરણાગતિ તરીકે ઓળખાવી હતી.


ગઈ કાલે ગડચિરોલી પોલીસ સમક્ષ અને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં ૬૧ સિનિયર નક્સલી કૅડરોએ આત્મસમર્પણ કર્યું હતું. સેન્ટ્રલ નક્સલી કમિટીના પૉલિટ બ્યુરોના ટોચના સભ્ય મલ્લુજોલા વેણુગોપાલ રાવ ઉર્ફે ભૂપતિએ મંગળવારે નક્સલવાદ નિષ્ફળ રહ્યો હોવાનું કબૂલીને આત્મસમર્પણ કર્યું હતું. ત્યાર બાદ તેણે ગડચિરોલીમાં આયોજિત એક કાર્યક્રમમાં અન્ય ૬૦ નક્સલી કૅડર સાથે આત્મસમર્પણ કર્યું હતું. આ તમામ ૬૧ નક્સલીઓ પર ૬ કરોડ રૂપિયાનું સામૂહિક ઇનામ હતું. શસ્ત્રો છોડીને આત્મસમર્પણ કરનારા નક્સલીઓનું મુખ્ય પ્રવાહમાં સ્વાગત કરવા માટે દેવેન્દ્ર ફડણવીસે ભારતીય બંધારણની કૉપી તેમને ભેટ આપી હતી. દેવેન્દ્ર ફડણવીસે આ શરણાગતિને મહારાષ્ટ્રમાં નક્સલી ચળવળના ઇતિહાસમાં સૌથી મોટી શરણાગતિ તરીકે ઓળખાવી હતી.


Whatsapp-channel Whatsapp-channel

16 October, 2025 09:34 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK