Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ગોવિંદ મિલ્કે સફળતાપૂર્વક આઈટી સમીક્ષા પૂરી કરી

ગોવિંદ મિલ્કે સફળતાપૂર્વક આઈટી સમીક્ષા પૂરી કરી

Published : 19 March, 2025 04:30 PM | IST | Phaltan
Bespoke Stories Studio | bespokestories@mid-day.com

આ પ્રક્રિયા દરમિયાન કેટલીક ક્ષણો માટે સંચાર સાધનોને ટૂંક સમય માટે સીલ કરવામાં આવ્યા, જેના કારણે સંચાલનમાં પડકારો સામે આવ્યા

ગોવિંદ મિલ્ક દ્વારા આઈટી સમીક્ષા પૂર્ણ કરવામાં આવી

ગોવિંદ મિલ્ક દ્વારા આઈટી સમીક્ષા પૂર્ણ કરવામાં આવી


ગોવિંદ મિલ્કે સફળતાપૂર્વક આઈટી સમીક્ષા પૂરી કરી છે, જે નૈતિકતાપૂર્વક વ્યાવસાયિક પ્રથાઓની પારદર્શિતા અને પ્રતિબદ્ધતાને મજબૂત કરે છે.


ગોવિંદ મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટ્સ પ્રા. લિ., જે દૂધ ઉદ્યોગમાં એક મુખ્ય નામ છે, તેણે પોતાના ફલટણ સ્થિત કારખાનામાં આયકર (આઈટી) વિભાગ દ્વારા કરવામાં આવેલી વિશાળ સમીક્ષા સફળતાપૂર્વક પૂરી કરી. આ સમીક્ષામાં ૪૦ આઈટી અધિકારીઓની ટીમે કંપનીના આર્થિક રેકોર્ડ અને સંચાલનની ગહન તપાસ કરી હતી.



આ પ્રક્રિયા દરમિયાન કેટલીક ક્ષણો માટે સંચાર સાધનોને ટૂંક સમય માટે સીલ કરવામાં આવ્યા, જેના કારણે સંચાલનમાં પડકારો સામે આવ્યા. તેમ છતાં, ગોવિંદ મિલ્કે સંપૂર્ણ સહકાર આપ્યો, જેના પરિણામે આ સમીક્ષા સરળતાથી પૂર્ણ થઈ. સંપૂર્ણ તપાસ પછી આઈટી અધિકારીઓએ સંતોષ વ્યકત કર્યો અને ફેક્ટરી કે કંપનીના નેતૃત્વ હેઠળના ઘરોમાંથી કોઈ મિલકત જપ્ત કરવામાં આવી નથી.


કંપનીના નેતૃત્વના નિવેદન: સમૂહ સમીક્ષા સફળ રીતે પૂર્ણ થવા પર ગોવિંદ મિલ્કના ડાયરેકટર શ્રીમતી શિવાંજલીરાજે નાઈક નિમ્બાલકરે જણાવ્યું, “આઈટી સમીક્ષા પૂરી થઈ છે, અને અધિકારીઓએ અમારી ટીમની પારદર્શિતા અને સંચાલન ઉત્કૃષ્ટતાની પ્રશંસા કરી છે. તેમણે આપેલી સમૃદ્ધિની શુભકામનાઓ અમારી નૈતિક અને ઉચ્ચ સ્તરીય વ્યાવસાયિક પ્રથાની શ્રદ્ધા બતાવે છે. અમે અમારા સમર્થકોનો આભાર વ્યકત કરીએ છીએ, કે જેમણે વિશ્વાસ અને પ્રોત્સાહન દાખવીને માત્ર ફલટણ જ નહિ, આગળ પણ સતત પ્રગતિ અને સમૃદ્ધિ તરફ વધવા માટે પ્રેરણા આપી છે."

ગોવિંદ મિલ્કના ચેરમેન શ્રી સંજીવરાજે નાઈક નિમ્બાલકરે કંપનીની પ્રતિબદ્ધતા પર ભાર મૂકતા જણાવ્યું, “અમે સમીક્ષા પ્રક્રિયા દરમિયાન આઈટી અધિકારીઓને સંપૂર્ણ સહકાર આપ્યો. સમીક્ષા પૂર્ણ થયા પછી, થોડી ઘણી રોકડ રકમ અને ઘરેણા જે અમારા લોકરમાં થી ચેક કરવામાં આવ્યા હતા એ પરત કરી દેવાયા, અને અમારા સંચાલન વિશે કોઈ વાંધો વ્યક્ત કરવામાં આવ્યો નથી. અધિકારીઓના સકારાત્મક પ્રતિસાદથી અમને અમારા નૈતિક વેપાર સિદ્ધાંતો પર વધુ વિશ્વાસ મળ્યો છે. આ દરમિયાન અમને અતૂટ પ્રોત્સાહન આપનાર તમામ હિસ્સેદારો ના અમે ઋણી છીએ.”


વિશ્વાસ અને વિકાસ માટેની પ્રતિબદ્ધતા: 
ગોવિંદ મિલ્ક ખેડૂતોને મૂલ્ય પ્રદાન કરવા અને ગ્રાહકોને ઉચ્ચ ગુણવત્તાવાળા ઉત્પાદનો ઉપલબ્ધ કરાવવાના પોતાના ધ્યેય પર સંપૂર્ણ રીતે અડગ છે. વિશ્વાસ, નવીનીકરણ અને ગ્રાહક સંતોષ પર ધ્યાન કેન્દ્રિત કરી કંપની ખેડૂત, ભાગીદારો અને ગ્રાહકો સાથેના તેમના સંબંધોને સતત મજબૂત બનાવતી આવી રહી છે.

દૂધ ઉદ્યોગમાં ઉત્કૃષ્ટતાની પરંપરા નો વારસો: 
૧૯૯૫માં શ્રી સંજીવ નાઈક નિમ્બાલકરના દૃષ્ટિ-વિશ્વાસી નેતૃત્વ હેઠળ સ્થાપિત, ગોવિંદ મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટ્સ દૂધ ઉદ્યોગમાં ગુણવત્તા અને નવીનીકરણ માટે અગ્રેસર બની ચૂકી છે. કંપનીની તમામ પ્રવૃત્તિઓ સ્વચ્છતા, વાજબી કિંમતો અને સમયસર ડિલિવરીના મૌલિક સિદ્ધાંતો પર આધારિત છે. ગોવિંદ મિલ્ક ખેડૂત શિક્ષણ કાર્યક્રમો, વેટરનરી હેલ્થકેર સેવાઓ અને કડક ગુણવત્તા ખાતરી પદ્ધતિઓ દ્વારા ડેરી ફાર્મિંગ સમુદાયને સક્રિયપણે સમર્થન આપે છે, જે ખેડૂતોથી ગ્રાહક સુધી ગુણવત્તા સુનિશ્ચિત કરે છે.

ભવિષ્ય તરફ: 
ગોવિંદ મિલ્ક પોતાના મૌલિક સિદ્ધાંતો, ખેડૂતોની સમૃદ્ધિ, ઉત્પાદનોની ગુણવત્તા, તેમજ સ્પર્ધાત્મક કિંમતો અને ગ્રાહક સંતોષ પર ટકી રહી નૈતિક અને જવાબદારી પૂર્વક વેપાર ને  નવી ઊંચાઈ સુધી પહોંચાડવા માટે પ્રતિબદ્ધ છે.

મિડીયા પૂછપરછ માટે સંપર્ક કરો:
ફોન: ૯૪૨૩૮૧૪૬૯૯ 
ઈ- મેઈલ: contact@govindmilk.com
વેબ સાઈટ: Govindmilk.com

Whatsapp-channel Whatsapp-channel

19 March, 2025 04:30 PM IST | Phaltan | Bespoke Stories Studio

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK