સ્થાનિક શાળાના અધિકારીઓએ વિદ્યાર્થીઓ માટે પ્રમાણિત અભ્યાસક્રમ, પરીક્ષા માળખું અને પ્રમાણપત્ર પ્રક્રિયાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેઓ માને છે કે રાજ્ય સરકારનું સત્તાવાર સમર્થન વિદેશમાં મરાઠી ભાષાના શિક્ષણને વિશ્વસનીયતા અને સાતત્ય આપશે.
દેવેન્દ્ર ફડણવીસ ફાઇલ તસવીર
મહારાષ્ટ્રમાં મરાઠી ભાષાને લઈને વિવાદ ચાલી રહ્યો છે તેના વચ્ચે હવે રાજ્ય સરકાર અમેરિકામાં મરાઠીને પ્રોત્સાહન આપવા માટે એક પહેલ શરૂ કરવાનું વચન આપ્યું છે. મરાઠી ડાયસ્પોરા (વિદેશમાં રહેતા મરાઠીઓ) ને સાંસ્કૃતિક પ્રોત્સાહન આપવા માટે, મહારાષ્ટ્ર સરકારે યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકામાં મરાઠી શાળાઓને ઔપચારિક અભ્યાસક્રમ પૂરો પાડીને અને સ્થાનિક અધિકારીઓને તેમની માન્યતાની ભલામણ કરીને ટેકો આપવાનું વચન આપ્યું છે. બે એરિયાની તેમની મુલાકાત દરમિયાન, મહારાષ્ટ્રના માહિતી ટૅકનૉલોજી અને સાંસ્કૃતિક મંત્રી, આશિષ શેલાર, મહારાષ્ટ્ર મંડળના પદાધિકારીઓને મળ્યા, જે કેલિફોર્નિયા અને યુએસના અન્ય ભાગોમાં મરાઠી શાળાઓ ચલાવે છે. શેલારે તેમને ખાતરી આપી હતી કે રાજ્ય સરકાર આ સંસ્થાઓ માટે અભ્યાસક્રમ પૂરો પાડશે અને અમેરિકન વહીવટકર્તાઓને ભલામણો શરૂ કરશે.
વિદેશમાં મરાઠી ભાષા અને સંસ્કૃતિનું જતન
ADVERTISEMENT
આ મરાઠી શાળાઓ, જેમાંથી કેટલીક 2005 થી ચાલી રહી છે, તેનો હેતુ બાળકોને મરાઠી ભાષા, સંસ્કૃતિ, ઇતિહાસ અને લોક પરંપરાઓ શીખવવાનો છે. સમગ્ર અમેરિકામાં આવી 50 થી વધુ શાળાઓ કાર્યરત છે, જે મરાઠી સમુદાયના સ્વયંસેવકો દ્વારા ચલાવવામાં આવે છે. ફક્ત બે એરિયામાં, લગભગ 300 વિદ્યાર્થીઓ મરાઠી શીખી રહ્યા છે. શેલારે કહ્યું કે રાજ્ય જરૂરી વહીવટી અને શૈક્ષણિક સહાય પ્રદાન કરવા માટે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને શાળા શિક્ષણ મંત્રી દાદા ભૂસે સાથે સંકલન કરશે.
અભ્યાસક્રમ, પરીક્ષાઓ અને પ્રમાણપત્ર ટૂંક સમયમાં
સ્થાનિક શાળાના અધિકારીઓએ વિદ્યાર્થીઓ માટે પ્રમાણિત અભ્યાસક્રમ, પરીક્ષા માળખું અને પ્રમાણપત્ર પ્રક્રિયાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેઓ માને છે કે રાજ્ય સરકારનું સત્તાવાર સમર્થન વિદેશમાં મરાઠી ભાષાના શિક્ષણને વિશ્વસનીયતા અને સાતત્ય આપશે.
મહારાષ્ટ્રની ભાષા નીતિ ચર્ચા વચ્ચે વિડંબના
મહારાષ્ટ્રમાં ધોરણ 1 થી મરાઠી-માધ્યમ શાળાઓમાં હિન્દી ફરજિયાત બનાવવા અંગે વિવાદ ચાલી રહ્યો છે ત્યારે પણ આ જાહેરાત કરવામાં આવી છે. જ્યારે રાજ્ય સરકાર આ નીતિનો બચાવ કરે છે, ત્યારે ઘણા મરાઠી પરિવારો વૈશ્વિક તકો માટે તેમના બાળકોને અંગ્રેજી માધ્યમની શાળાઓમાં દાખલ કરવાનું પસંદ કરે છે. વિડંબના એ છે કે વિદેશમાં સ્થાયી થયેલા મરાઠી પરિવારો જ તેમની માતૃભાષાને જાળવવા માટે સક્રિયપણે કાર્ય કરી રહ્યા છે.
મરાઠી ન બોલનાર સાથે મુંબઈ અને માહારાષ્ટ્રમાં થઈ રહી છે મારપીટ
રાજ્ય સરકાર દ્વારા હિન્દીને ત્રીજી ભાષા બનાવવાના પ્રસ્તાવ બાદ ભાષા વિવાદ વધુ તીવ્ર બન્યો હતો. મુંબઈ સહિત અનેક વિસ્તારોમાંથી મરાઠી ભાષા ન બોલનાર લોકો સાથે મારપીટ કરવામાં આવી રહી હોવાની ઘટનાઓ સામે આવી રહી છે. રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના UBT આ મુદ્દે મોખરે રહી છે, અને હિન્દી અંગે સરકારનો વિરોધ પણ કરી રહી છે.

