Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મહારાષ્ટ્ર BJPના નવા પદાધિકારોનાં નામ જાહેર; નવનાથ બન મુખ્ય પ્રવક્તા, મિહિર કોટેચા ખજાનચી

મહારાષ્ટ્ર BJPના નવા પદાધિકારોનાં નામ જાહેર; નવનાથ બન મુખ્ય પ્રવક્તા, મિહિર કોટેચા ખજાનચી

Published : 25 February, 2026 10:44 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નવી નિયુક્તિઓમાં મુખ્ય પ્રવક્તા, મહામંત્રી, સચિવ, ઉપપ્રમુખ, ખજાનચી અને BJP યુવા મોરચાના પ્રમુખનો સમાવેશ થાય છે

મિહિર કોટેચા

મિહિર કોટેચા


ભારતીય જનતા પાર્ટી (BJP)ના મુખ્ય પ્રવક્તા તરીકે નવનાથ બનની નિમણૂક કરવામાં આવી છે. BJPના મહારાષ્ટ્ર સ્ટેટ પ્રેસિડન્ટ રવીન્દ્ર ચવાણે મંગળવારે રાજ્યના નવા પદાધિકારીઓનાં નામ જાહેર કર્યાં હતાં. પાર્ટીના સ્ટેટ મીડિયા ચીફ તરીકે સેવા આપી ચૂકેલા બન હવે કેશવ ઉપાધ્યાયેનું સ્થાન લેશે.

નવી નિયુક્તિઓમાં મુખ્ય પ્રવક્તા, મહામંત્રી, સચિવ, ઉપપ્રમુખ, ખજાનચી અને BJP યુવા મોરચાના પ્રમુખનો સમાવેશ થાય છે. પક્ષ દ્વારા જાહેર કરાયેલી યાદી મુજબ અતુલ ભાતખળકર, ભારતી પવાર, સંજય કોર્ગે, સંજય ભેંડે, રામદાસ કદમ, કેશવ ઉપાધ્યાય, ગોપીચંદ પડળકર, પ્રિયા શિંદે, સુજય વિખે પાટીલ અને અર્ચના પાટીલ સહિતનાં નેતાઓને સ્ટેટના વાઇસ પ્રેસિડન્ટ્સ તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં છે. નિરંજન દાવખરે, સંજય કુટે, માધવી નાઈક, રાજેશ પાંડે, સુનીલ રાણે અને યોગેશ સાગરને જનરલ સેક્રેટરી તરીકે પસંદ કરવામાં આવ્યા છે. મિહિર કોટેચાને રાજ્યના ખજાનચી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

25 February, 2026 10:44 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK