Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ૩૧ માર્ચ પહેલાં બાકી વૉટરબિલ ભરી દેનારા નાગરિકોને ચાર્જ અને વ્યાજમાંથી મુક્તિ આપવાની TMCની જાહેરાત

૩૧ માર્ચ પહેલાં બાકી વૉટરબિલ ભરી દેનારા નાગરિકોને ચાર્જ અને વ્યાજમાંથી મુક્તિ આપવાની TMCની જાહેરાત

Published : 01 December, 2025 07:17 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૨૦૨૫ની પહેલી ડિસેમ્બરથી ૨૦૨૬ની ૩૧ માર્ચ સુધી અમલમાં રહેનારી આ સ્કીમ માત્ર ડોમેસ્ટિક વૉટર કનેક્શન્સ એટલે કે ઘરેલુ જોડાણો માટે જ છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (TMC)એ આશરે ૨૫૦ કરોડ રૂપિયાનાં બાકી વૉટરબિલોની વસૂલાત માટે એક વ્યાપક ઝુંબેશ શરૂ કરી છે અને નાગરિકોને લાભદાયી નીવડે એવી ઑફર જાહેર કરી છે. આ વર્ષના વૉટરબિલ સાથે બાકી રહેલાં બિલોનું પેમેન્ટ એકસાથે કરી દેનારા નાગરિકો પાસેથી લેટ પેમેન્ટ કે બાકી પેમેન્ટનો કોઈ ચાર્જ કે વ્યાજ વસૂલ કરવામાં નહીં આવે એવી TMCએ જાહેરાત કરી છે.

૨૦૨૫ની પહેલી ડિસેમ્બરથી ૨૦૨૬ની ૩૧ માર્ચ સુધી અમલમાં રહેનારી આ સ્કીમ માત્ર ડોમેસ્ટિક વૉટર કનેક્શન્સ એટલે કે ઘરેલુ જોડાણો માટે જ છે. કમર્શિયલ વૉટર કનેક્શન્સ ધરાવતા ડિફૉલ્ટરોએ ચાર્જ અને ઇન્ટરેસ્ટ સાથે જ ચુકવણી કરવાની રહેશે. TMCના એક અધિકારીએ જણાવ્યું હતું કે આ ઑફર પછી પણ જે ડિફૉલ્ટર્સ છેલ્લી તારીખ સુધીમાં તેમના બિલની ચુકવણી નહીં કરે તેમનાં કનેક્શન્સ કાપી દેવામાં આવી શકે છે.


Whatsapp-channel Whatsapp-channel

01 December, 2025 07:17 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK