Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ગુરુવારે એક જ દિવસમાં શ્રીનગરથી ૧૦,૦૯૦ ટૂરિસ્ટોનું ટેક-ઑફ

ગુરુવારે એક જ દિવસમાં શ્રીનગરથી ૧૦,૦૯૦ ટૂરિસ્ટોનું ટેક-ઑફ

Published : 26 April, 2025 08:08 AM | IST | Srinagar
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઍર ઇન્ડિયા, ઍર ઇન્ડિયા એક્સપ્રેસ અને સ્પાઇસ જેટની ફ્લાઇટોનો નંબર આવતો હતો. સાત સ્પેશ્યલ ફ્લાઇટો પણ ઑપરેટ કરવામાં આવી હતી.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


પહલગામમાં આતંકવાદી હુમલા બાદ ગુરુવારે એક જ દિવસમાં શ્રીનગરથી ૧૦,૦૯૦ પ્રવાસીઓએ ટેક-ઑફ કર્યું હતું. શ્રીનગર ઍરપોર્ટ પર ફ્લાઇટ પકડવા માટે મોટી સંખ્યામાં ટૂરિસ્ટો પહોંચ્યા હતા અને ઍરપોર્ટ ખીચોખીચ ભરાઈ ગયું હતું. બુધવારે ૩૩૩૭  પ્રવાસીઓએ ટેક-ઑફ કર્યું હતું, પણ ગુરુવારે ૧૦,૦૯૦ પ્રવાસીઓએ શ્રીનગર છોડ્યું હતું.


સવારે ૬.૨૮થી રાત્રે ૭.૫૯ વાગ્યા સુધીમાં શ્રીનગર ઍરપોર્ટ પરથી ૧૧૦ ફ્લાઇટોએ ટેક-ઑફ કર્યું હતું. ૪૦૦૦ પ્રવાસીઓએ લૅન્ડ કર્યું હતું. શ્રીનગરથી જતી તમામ ફ્લાઇટો ફુલ હતી પણ આવનારી ફ્લાઇટમાં પૅસેન્જરોની સંખ્યા સાવ ઓછી હતી. ક્યાંક તો માત્ર ૧૦ કે ૧૫ પ્રવાસી શ્રીનગર ઊતરતા હતા.  સૌથી વધારે ફ્લાઇટો ઇન્ડિગો ઍરની હતી. આ સિવાય ઍર ઇન્ડિયા, ઍર ઇન્ડિયા એક્સપ્રેસ અને સ્પાઇસ જેટની ફ્લાઇટોનો નંબર આવતો હતો. સાત સ્પેશ્યલ ફ્લાઇટો પણ ઑપરેટ કરવામાં આવી હતી.


Whatsapp-channel Whatsapp-channel

26 April, 2025 08:08 AM IST | Srinagar | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK