કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ નદીઓના પાણીની વહેંચણી ભારત અને પાકિસ્તાન વચ્ચે વિવાદનું કારણ બન્યું છે. આ મુદ્દે હવે ચીન પણ કૂદી પડ્યું છે.
પ્રતીકાત્મક તસવીર
કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ નદીઓના પાણીની વહેંચણી ભારત અને પાકિસ્તાન વચ્ચે વિવાદનું કારણ બન્યું છે. આ મુદ્દે હવે ચીન પણ કૂદી પડ્યું છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે જળ વહેંચણીને લઈને બનેલી તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે ચીન તરફથી મોટું નિવેદન આવ્યું છે. બીજિંગ સ્થિત સેન્ટર ફૉર ચાઈના એન્ડ ગ્લોબલાઈઝેશનના ઉપાધ્યક્ષ વિક્ટર ઝિકાઈ ગાઓએ બ્રહ્મપુત્રાા નદીનું ભારત આવનારું પાણી અટકાવવાના સંકેત આપ્યા છે. વિક્ટરે ભારતને સિંધુ જળ કરાર પર ભારતના વલણને લઈને નારાજગી વ્યક્ત કરતાં કહ્યું છે કે તમે બીજા સાથે એવું વર્તન ન કરો, જે તમે તમારી સાથે નથી ઈચ્છતા. ગાઓએ સ્પષ્ટ સંકેત કર્યો તે તેના મિત્ર પાકિસ્તાનનું પાણી બંધ થયું તો પછી ચીન પણ ભારતનું પાણી અટકાવી શકે છે.
ADVERTISEMENT
વિક્ટર ગાઓએ એક ઈન્ટરવ્યૂમાં બ્રહ્મપુત્રા નદી પર ચીનની રણનૈતિક પકડ પર જોર આપ્યું, જે ભારતની જળ સુરક્ષા માટે મહત્ત્વપૂર્ણ છે. પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સાથે સિંધુ જળ સંધિ (IWT)ને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે. આ મામલે ગાઓએ કહ્યું કે જેવી ભારતની વહીને નદીઓ પાકિસ્તાન જાય છે, તે જ રીતે ક્ષેત્રથી નદીઓ ભારત આવે છે.
ચીન પાકિસ્તાન માટે ભારતનું પાણી રોકી દેશે!
ગાઓએ સંકેત આપ્યો છે કે ચીન તેના `સદાબહાર મિત્ર` પાકિસ્તાનના સમર્થનમાં બ્રહ્મપુત્રાના પાણીને હથિયાર બનાવી શકે છે. તેમણે ભારતને મધ્યસ્થી રાષ્ટ્ર તરીકે રેખાંકિત કર્યું અને કહ્યું કે જો દિલ્હી સામે સમાન બદલો લેવાના પગલાં લેવામાં આવે તો તેને ઘણી ગંભીર મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
વિક્ટર ગાઓનું નિવેદન ભારત માટે ચિંતાનું કારણ બની શકે છે. ચીને બ્રહ્મપુત્રા જેવી નદીઓ પર ભારત સાથે હાઇડ્રોલોજિકલ ડેટા શેર કરવાનું બંધ કરી દીધું છે અને ઘણા મહત્વપૂર્ણ બંધ બનાવીને પાણી રોકવાની ક્ષમતા મેળવી લીધી છે. બ્રહ્મપુત્રા પર ચીનના કબજાને કારણે ભારત ઉત્તરપૂર્વમાં આર્થિક અને વ્યૂહાત્મક જોખમોનો સામનો કરી રહ્યું છે.
આ બાબતમાં ચીન કેટલું મજબૂત છે?
આ વર્ષે જાન્યુઆરીમાં, ચીને ભારતીય સરહદ નજીક બ્રહ્મપુત્રા પર વિશ્વનો સૌથી મોટો હાઇડ્રોઇલેક્ટ્રિક ડેમ બનાવવાની યોજના જાહેર કરી હતી. ચીનનો દાવો છે કે આ પ્રોજેક્ટ ડાઉનસ્ટ્રીમ દેશોને નુકસાન પહોંચાડશે નહીં પરંતુ તેનાથી ભારતના ઉત્તરપૂર્વમાં ભૂ-રાજકીય ચિંતાઓ વધી છે. વ્યૂહાત્મક રીતે, આ બંધ ચીન માટે મહત્વપૂર્ણ છે. આનાથી તેને ભારતના પ્રાદેશિક પ્રભાવને ઘટાડવાની તક મળશે.
બ્રહ્મપુત્રા નદી તિબેટમાં યાર્લુંગ ત્સાંગપો તરીકે ઓળખાય છે. તે કૈલાસ પર્વત નજીકથી શરૂ થાય છે અને બંગાળની ખાડીમાં પડતા પહેલા ચીન, ભારત અને બાંગ્લાદેશમાંથી વહે છે. આ નદી ભારતના વિશાળ વિસ્તારમાં સિંચાઈ અને અન્ય હેતુઓ માટે મહત્વપૂર્ણ છે. નિષ્ણાતો કહે છે કે ભારત ચીન દ્વારા આપવામાં આવી રહેલી ધમકીઓને હળવાશથી અવગણી શકે નહીં.

