Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > પહલગામમાં આતંકવાદીઓએ ભારતની નારીશક્તિને ફેંક્યો પડકાર, એ જ એના આકાઓ માટે બન્યો કાળ

પહલગામમાં આતંકવાદીઓએ ભારતની નારીશક્તિને ફેંક્યો પડકાર, એ જ એના આકાઓ માટે બન્યો કાળ

Published : 01 June, 2025 11:04 AM | Modified : 02 June, 2025 06:56 AM | IST | Bhopal
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભોપાલમાં લોકમાતા દેવી અહિલ્યાબાઈ મહિલા સશક્તીકરણ મહાસંમેલનમાં નરેન્દ્ર મોદી ગર્જ્યા

ગઈ કાલે ભોપાલમાં પુણ્યશ્ળોક અહિલ્યાબાઈ હોળકરની પ્રતિમાને નમન કરતા નરેન્દ્ર મોદી.

ગઈ કાલે ભોપાલમાં પુણ્યશ્ળોક અહિલ્યાબાઈ હોળકરની પ્રતિમાને નમન કરતા નરેન્દ્ર મોદી.


વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગઈ કાલે મધ્ય પ્રદેશના ભોપાલની મુલાકાતે પહોંચ્યા હતા જ્યાં તેમણે લોકમાતા દેવી અહિલ્યાબાઈ મહિલા સશક્તીકરણ મહા સંમેલનમાં ભાગ લીધો હતો. ગઈ કાલે પુણ્યશ્ળોક અહિલ્યાબાઈ હોળકરની ૩૦૦મી જન્મજયંતી હતી. આ પ્રસંગે એક જનસભાને સંબોધતાં નરેન્દ્ર મોદીએ મહિલા સશક્તીકરણનો મજબૂત સંદેશ આપ્યો હતો. વડા પ્રધાને કહ્યું હતું કે ‘સિંદૂર આપણી પરંપરા છે, નારીશક્તિનું પ્રતીક છે. રામરંગમાં રંગાયેલા હનુમાનજીએ પણ સિંદૂરનો શ્રૃંગાર કર્યો હતો. શક્તિપૂજામાં પણ સિંદૂર અર્પણ કરવામાં આવે છે. આ સિંદૂર શૌર્યનું પ્રતીક બની ગયું. પહલગામમાં આતંકવાદીઓએ માત્ર ભારતીઓનું લોહી જ નથી વહાવ્યું, તેમણે આપણી સંસ્કૃતિ પર પણ પ્રહાર કર્યા. આપણા સમાજમાં ભાગલા પાડવાના પ્રયાસ કર્યા. આતંકવાદીઓએ ભારતની નારીશક્તિને પણ પડકાર ફેંક્યો છે. આ પડકાર આતંકવાદીઓ અને તેમના આકાઓ માટે કાળ બની ગયો.’


Whatsapp-channel Whatsapp-channel

02 June, 2025 06:56 AM IST | Bhopal | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK