લોકસભા ચૂંટણી પહેલાં રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ 16 એપ્રિલના રોજ ગુજરાતના બનાસકાંઠામાં રેખાબેન હિતેશભાઈ ચૌધરીના સમર્થનમાં રોડ-શૉ યોજ્યો હતો. હજારો ભાજપ સમર્થકો બીજેપીના ઝંડા લઈને રોડ શો માટે ઉમટી પડ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર રેખાબેન હિતેશભાઈ ચૌધરી બનાસકાંઠા બેઠક પરથી ચૂંટણી લડશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં 7 મેના રોજ એક જ તબક્કામાં 2024ની લોકસભા ચૂંટણી માટે મતદાન થશે.