Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > અર્થમૂવરની અડફેટે ચડીને કોબરા ઘાયલ થયો, ડૉક્ટરોએ ૮૦ ટાંકા લઈને સાપનો જીવ બચાવ્યો

અર્થમૂવરની અડફેટે ચડીને કોબરા ઘાયલ થયો, ડૉક્ટરોએ ૮૦ ટાંકા લઈને સાપનો જીવ બચાવ્યો

Published : 28 November, 2025 01:30 PM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સર્જરી કરીને કોબ્રાને ૮૦ ટાંકા લીધા હતા. સર્જરી પછી કોબ્રા ફરીથી સર્પમિત્રોને સોંપી દીધો હતો

સર્પમિત્રોનું કહેવું છે કે હવે સાપ સ્વસ્થ છે. પૂરો સાજો થશે એ પછી એને જંગલમાં છોડી દેવામાં આવશે. 

અજબગજબ

સર્પમિત્રોનું કહેવું છે કે હવે સાપ સ્વસ્થ છે. પૂરો સાજો થશે એ પછી એને જંગલમાં છોડી દેવામાં આવશે. 


નવી દિલ્હીમાં વિક્રમનગર ઔદ્યોગિક વિસ્તારમાં ખોદકામનું કામકાજ ચાલી રહ્યું હતું ત્યારે એક સાપ અર્થમૂવરની અડફેટે ચડી જતાં ઘાયલ થઈ ગયો હતો. અર્થમૂવરના શાર્પ દાંતાને કારણે સાપનો ઘણો મોટો ભાગ ચિરાઈ ગયો હતો. ઘાયલ સાપ તરફડી રહ્યો હતો એટલે લોકોએ તરત જ સર્પમિત્રને બોલાવ્યા હતા. બે સર્પમિત્રો ત્યાં આવ્યા અને એને લઈને પશુ ચિકિત્સાલયમાં પહોંચ્યા હતા. સર્પમિત્રો ઘાયલ સાપનો ઇલાજ કરાવવા માટે એક પ્રાઇવેટ ઍનિમલ સેન્ટરમાં લઈને પહોંચ્યા હતા. ત્યાં ડૉ. મુકેશ જૈને સાપ પર બે કલાક સર્જરી કરી હતી અને અંદરના અવયવોને રિપેર કરવાની સર્જરી કરીને કોબ્રાને ૮૦ ટાંકા લીધા હતા. સર્જરી પછી કોબ્રા ફરીથી સર્પમિત્રોને સોંપી દીધો હતો. સર્પમિત્રોનું કહેવું છે કે હવે સાપ સ્વસ્થ છે. પૂરો સાજો થશે એ પછી એને જંગલમાં છોડી દેવામાં આવશે.


Whatsapp-channel Whatsapp-channel

28 November, 2025 01:30 PM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK