Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > રાજસ્થાનમાં ૧૦,૦૦૦ સ્ક્વેર ફુટમાં બનશે મૃત્યુના દેવતા યમરાજનું ‘યમધામ’

રાજસ્થાનમાં ૧૦,૦૦૦ સ્ક્વેર ફુટમાં બનશે મૃત્યુના દેવતા યમરાજનું ‘યમધામ’

Published : 20 February, 2025 01:07 PM | IST | Jaipur
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રાજસ્થાનના ચુરુથી આવેલાં આઈ સંયોગિતા દ્વારા યમરાજની પૂજા થઈ રહી છે અને તેઓ ચુરુમાં યમરાજનું ભવ્ય મંદિર નિર્માણ કરવાનાં છે

પ્રતીકાત્મક તસવીર

અજબગજબ

પ્રતીકાત્મક તસવીર


પ્રયાગરાજના મહાકુંભમાં અત્યારે એક શિબિર બહુ ચર્ચામાં છે. આ શિબિરમાં રાજસ્થાનના ચુરુથી આવેલાં આઈ સંયોગિતા દ્વારા યમરાજની પૂજા થઈ રહી છે અને તેઓ ચુરુમાં યમરાજનું ભવ્ય મંદિર નિર્માણ કરવાનાં છે. તેમણે યમધામ મંદિર માટે પ્રયાગરાજમાં સંગમ તટ પર જઈને વિશેષ પૂજા-અર્ચના કરી છે અને સંગમનું પવિત્ર ગંગાજળ અને માટી પોતાની સાથે રાજસ્થાન લઈ જવાનાં છે. માતા સંયોગિતા કહે છે, ‘યમરાજ કોઈનું જીવન છીનવી લઈને મોતની ભેટ નથી આપતા, તેમનાથી ડરવાની જરૂર નથી. મનુષ્યને પોતાના કર્મ પ્રમાણે ન્યાય અને દંડ મળે છે એટલે જીવનમાં સત્કર્મો કરવાં જોઈએ. સત્કર્મો કરશો તો મૃત્યુનો અને મૃત્યુના દેવતાનો ડર નહીં રહે. મનુષ્યએ પોતાનાં કર્મોથી ડરવું જોઈએ, યમદેવતાથી નહીં. ભગવાન શિવ અને શક્તિએ મને આ મંદિર બાંધવાની પ્રેરણા આપી છે.’


રાજસ્થાનના ચુરુ જિલ્લામાં ૧૦,૦૦૦ સ્ક્વેર ફુટમાં યમરાજનું ભવ્ય મંદિર બનશે અને એમાં મૃત્યુના દેવ યમરાજની ભવ્ય વિશાળ પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે અને શ્રદ્ધાળુ અહીં કષ્ટનિવારણ અને સકારાત્મક પરિવર્તન માટે પૂજા-અર્ચના કરવા આવશે.


Whatsapp-channel Whatsapp-channel

20 February, 2025 01:07 PM IST | Jaipur | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK