Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ઉત્તરાખંડનું એક ગામ એટલું ખાલી થઈ ગયું છે કે ૧૦૦ વર્ષનાં માજી ગુજરી ગયા તો....

ઉત્તરાખંડનું એક ગામ એટલું ખાલી થઈ ગયું છે કે ૧૦૦ વર્ષનાં માજી ગુજરી ગયા તો....

Published : 03 January, 2026 03:07 PM | IST | Pithoragarh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઉત્તરાખંડનું એક ગામ એટલું ખાલી થઈ ગયું છે કે ૧૦૦ વર્ષનાં માજી ગુજરી ગયા તો કાંધ આપવા પણ બૉર્ડર પરથી સૈનિકો બોલાવવા પડ્યા

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

અજબગજબ

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા


ઉત્તરાખંડમાં ભારત-નેપાલની બૉર્ડર પાસે આવેલા પિથોરાગઢ જિલ્લાના તાડેગાંવમાંથી હવે લોકો પલાયન કરી રહ્યા છે. એટલી હદે લોકો સ્થળાંતર કરીને બીજે રહેવા જતા રહ્યા છે કે ગામમાં જીવનજરૂરિયાતની ચીજો તો નથી જ મળતી અને ઇમર્જન્સીમાં કોઈ માનવીય મદદ મેળવવા પણ લાંબે જવું પડે છે. તાજેતરમાં આ ગામમાં ઝુપાદેવી નામનાં ૧૦૦ વર્ષનાં માજી ગુજરી ગયાં. તેમના અંતિમ સંસ્કારની પરંપરા માટે કાંધ આપવા ચાર લોકો તો જોઈએને? દીકરાએ માજીના મૃત્યુના સમાચાર આપ્યા તો ગામના પ્રધાન આવ્યા, પરંતુ કાંધ આપવા ચાર જણ જોઈએ એ ક્યાંથી લાવવા? ગામમાં માત્ર ત્રણ જ જણ હતા એક ગ્રામપ્રધાન, બીજો માજીનો દીકરો અને તેમનો નાનકડો પૌત્ર. ગામના પ્રધાને ભારત-નેપાલ બૉર્ડર પરથી સશસ્ત્ર સીમા દળના જવાનોને બોલાવીને અંતિમ સંસ્કાર માટે લઈ જવાની તજવીજ કરવી પડી.


Whatsapp-channel Whatsapp-channel

03 January, 2026 03:07 PM IST | Pithoragarh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK