Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > મને પૂછ્યા વિના મને કેમ જન્મ આપ્યો?

મને પૂછ્યા વિના મને કેમ જન્મ આપ્યો?

Published : 09 July, 2026 12:41 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આવો સવાલ કરીને ૨૧ વર્ષના આ છોકરાએ માબાપ પાસે ભરણપોષણ માગ્યું

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

અજબ ગજબ

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા


૨૧ વર્ષના એક યુવાને સોશ્યલ મીડિયા પર વિડિયો શૅર કરીને કહ્યું હતું કે ‘હું કોઈ કામ કરવા માગતો નથી. મારું ભરણપોષણ કરવાની જવાબદારી મારાં માતા-પિતાની છે, કેમ કે તેમણે મને જન્મ આપ્યો ત્યારે મને પૂછ્યું નહોતું.’

યુવાનનું કહેવું છે કે ‘મારે તો આ દુનિયામાં જન્મવું જ નહોતું, પણ મારાં મા-બાપે મને પૂછ્યું જ નહીં. જો મેં પૃથ્વી પર જન્મ લેવા માટે હામી ન ભરી હોય અને મા-બાપે તેમની મરજીથી મને જન્મ આપ્યો હોય તો મારી જરૂરિયાતો પૂરી કરવાની જવાબદારી તેમની જ ન કહેવાય?’



યુવાનના આ સવાલને કેટલાક લોકો કામ ન કરવાની આળસ અને નઠારાપણું માને છે તો કેટલાક લોકો એને બહુ ઊંડો સવાલ માને છે. આ વિચારધારા ઍન્ટિ-નૅટલિસ્ટ મૂવમેન્ટ તરીકે થોડાંક વર્ષો પહેલાં ખૂબ ચર્ચામાં આવી હતી. મુંબઈના માહિમમાં રહેતા રાફેલ સૅમ્યુઅલે ૨૦૧૯માં આવો જ સવાલ ઉઠાવીને પોતાનાં માતાપિતાને સવાલોના કઠેડામાં ઊભાં કર્યાં હતાં. આ ફાની દુનિયામાં હવે બાળકને જન્મ આપવો જ ન જોઈએ એવું આ ઍન્ટિ-નૅટલિસ્ટ સમુદાય માને છે. જો આવનારી પેઢીને આપણે સ્વસ્થ, શાંતિપૂર્ણ અને સેફ જિંદગી આપી શકવાના ન હોઈએ તો એ પેઢીની પરવાનગી વિના નવી પેઢીને પૃથ્વી પર લાવવી જ ન જોઈએ એવું આ વિચારધારાના લોકો માને છે. 


Whatsapp-channel Whatsapp-channel

09 July, 2026 12:41 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK