આ ફિલ્મ વિશે વાત કરતાં ફિલ્મ સાથે સંકળાયેલી એક વ્યક્તિએ જણાવ્યું હતું
સિદ્ધાંત ચતુર્વેદી,
થોડા સમય પહેલાં સમાચાર આવ્યા હતા કે ફિલ્મજગતના દિગ્ગજ વ્યક્તિત્વ વી. શાંતારામની બાયોપિક ‘ચિત્રપતિ વી. શાંતારામ’માં સિદ્ધાંત ચતુર્વેદી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. હવે લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે આ ફિલ્મમાં તમન્ના ભાટિયાને પણ મહત્ત્વના રોલમાં સાઇન કરવામાં આવી છે.
આ ફિલ્મ વિશે વાત કરતાં ફિલ્મ સાથે સંકળાયેલી એક વ્યક્તિએ જણાવ્યું હતું કે ‘તમન્ના ભાટિયા હાલ ખૂબ સારા ફેઝમાં છે અને તેણે સાબિત કર્યું છે કે તે અલગ-અલગ પાત્રો સારી રીતે ભજવી શકે છે. ફિલ્મમાં સિદ્ધાંત ચતુર્વેદી વી. શાંતારામનો રોલ ભજવી રહ્યો છે અને તમન્ના પણ એક રિયલ-લાઇફ પાત્ર નિભાવે છે. તમન્ના આ રોલને લઈને ઉત્સાહી છે, કારણ કે એ રોલ પડકારજનક છે અને તેની નવી ઇમેજ બની શકશે.’


