Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



બુલેટ ટ્રેનના ટ્રૅક પર નડિયાદ પાસે મેક ઇન ઇન્ડિયાનો સ્ટીલનો બ્રિજ

૧૪૮૬ મેટ્રિક ટન વજનનો આ બ્રિજ ભુજ જિલ્લાની વર્કશૉપમાં બન્યો છે .

25 April, 2024 08:48 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

વોટ કરો અને મેળવો હોટેલો ને દુકાનોમાં ડિસ્કાઉન્ટ, થિયેટરોમાં પણ ફ્રી પૉપકૉર્ન

વધુમાં વધુ મતદાન થાય એ માટે જૂનાગઢ અને મોરબીમાં કરવામાં આવી આ પહેલ

25 April, 2024 08:47 IST | Junagadh | Gujarati Mid-day Correspondent

સુરતના કૉન્ગ્રેસી ઉમેદવાર નીલેશ કુંભાણી લાપતા, પાર્ટીને પણ જડતા નથી

કૉન્ગ્રેસના ભૂતપૂર્વ વિધાનસભ્ય પ્રતાપ દુધાતે ચીમકી આપી છે કે નીલેશ કુંભાણીએ પ્રજાને પીઠમાં ખંજર માર્યું છે, કૉન્ગ્રેસથી ગદ્દારી કરવાનું પરિણામ શું આવે એ બતાવીશ

25 April, 2024 07:52 IST | Surat | Shailesh Nayak

ગુજરાતમાં પોણાપાંચ કરોડથી વધારે મતદારો

લોકસભાની ચૂંટણીમાં ૨૬૬ ઉમેદવારો, જેમાં મહિલાઓ માત્ર ૧૯ : સૌથી વધુ ૨૨.૨૩ લાખ મતદારો નવસારી બેઠકમાં અને સૌથી ઓછા ૧૭.૨૩ લાખ મતદારો ભરૂચ બેઠકમાં

24 April, 2024 07:41 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent


અન્ય આર્ટિકલ્સ

નીલેશ કુંભાણી (સૌજન્ય ફેસબૂક)

કૉંગ્રેસ ઉમેદવાર રહી ચૂકેલા નિલેશ કુંભાણી થશે BJPમાં સામેલ!

Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણીમાં ગુજરાત, સુરત લોકસભા સીટ પરથી કૉંગ્રેસના ઉમેદવાર રહી ચૂકેલા નિલેશ કુંભાણી ભારતીય જનતા પાર્ટી (BJP)માં સામેલ થઈ શકે છે. સૂત્રોનું કહેવું છે કે તે આ અઠવાડિયે બીજેપીમાં જોડાઈ શકે છે.

23 April, 2024 06:33 IST | Surat | Gujarati Mid-day Online Correspondent
મતદાનની ફરજ બજાવવા કૅનેડાની ટ્રિપ પાછી ઠેલનાર પ્રણવ ઘારીવાલા.

સુરતના વોટરો નિરાશ

એક પરિવારે તો મતદાન માટે કૅનેડાની ટ્રિપ પાછી ઠેલી હતી

23 April, 2024 07:13 IST | Ahmedabad | Shailesh Nayak
ગઈ કાલે મુકેશ દલાલને કલેક્ટર ઑફિસમાં તેઓ વિજેતા થયા હોવાનુું સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું.

સુરતમાં BJPનો બિનહરીફ વિજય

કૉન્ગ્રેસના સત્તાવાર ઉમેદવાર નીલેશ કુંભાણીનું તથા ડમી ઉમેદવારનું પણ ફૉર્મ રદ થયા બાદ બાકીના તમામ કૅન્ડિડેટ‍્સે ઉમેદવારી પાછી ખેંચી લેતાં BJPના મુકેશ દલાલ બિનહરીફ વિજેતા જાહેર થયા

23 April, 2024 07:09 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent


ફોટો ગેલેરી

સાળંગપુરમાં હનુમાન જન્મોત્સવ પર કાપવામાં આવી ૨૫૦ કિલોની કેક

ગુજરાતમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં ગઈ કાલે હનુમાન જન્મોત્સવ ભક્તિભાવપૂર્વક અને ધામધૂમથી ઉજવાયો હતો. હનુમાનદાદાનાં દર્શન કરવા લાખ્ખો ભક્તજનો વહેલી પરોઢથી મંદિરમાં ઊમટ્યા હતા અને હનુમાનદાદાનાં દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.  ૫૦૦૦ કિલો હજારીગલનાં ફૂલોથી મંદિરની અંદર અને બહાર સુશોભન કરાયું હતું અને ૫૦ કિલો ગુલાબનાં ફૂલોથી હનુમાનદાદાના સિંહાસનની આસપાસ શણગાર કરાયો હતો. હનુમાનદાદાને સુવર્ણના વાઘા ધારણ કરાવ્યા હતા. સવારે પાંચ વાગ્યે મંગળા આરતી યોજાઈ હતી અને સવારે સાત વાગ્યે શણગાર આરતી યોજાઈ હતી. ત્યાર બાદ હનુમાનદાદાનું બર્થ-ડે સેલિબ્રેશન થયું હતું જેમાં ૨૫૦ કિલોની કેક કાપવામાં કરવામાં આવી હતી અને હર્ષોલ્લાસથી હનુમાનદાદાના જન્મોત્સવની ઉજવણી કરાઈ હતી. મંદિર પરિસરમાં મારુતિ યજ્ઞ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં ભક્તજનોએ આહુતિ અર્પણ કરી હતી. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ સાળંગપુરમાં હનુમાનદાદાનાં દર્શન કરવા આવ્યા હતા. અન્નકૂટ આરતીમાં તેઓએ દાદાની આરતી ઉતારી હતી અને અન્નકૂટમાં સહભાગી થઈને હનુમાનદાદાના આશીર્વાદ મેળવ્યા હતા અને લોકો માટે સુખ, શાંતિ, સમૃદ્ધિની પ્રાર્થના કરી હતી. 
24 April, 2024 11:57 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

ભૂતપ્રેતની વેશભૂષા અને કાળાં કપડાંમાં ઉપસ્થિત લોકો વચ્ચે કન્યા પાયલ અને વરરાજા જયેશ

કાળ ચોઘડિયામાં ઊંધા ફેરા ફરીને લગ્ન જાનૈયાઓનો ઉતારો સ્મશાનમાં

સૌરાષ્ટ્રના એક ગામમાં ગજબ ઘટના બની : રૂઢિગત માન્યતાઓ તથા અંધશ્રદ્ધા અને ભૂતપ્રેત જેવા વહેમોનો હડસેલવાનું પ્રયોજનઃ ભારતના બંધારણના શપથ લઈને થયાં લગ્ન, કન્યાપક્ષના લોકોએ કાળાં કપડાં પહેરીને અને ભૂતપ્રેતનાં મહોરાં સાથે કર્યું સામૈયું

18 April, 2024 07:12 IST | Mumbai | Shailesh Nayak
રોડ અકસ્માતની ફાઈલ તસવીર

Gujarat: અમદાવાદ-વડોદરા એક્સપ્રેસવે પર ગંભીર અકસ્માત, 10ના મોત

ગુજરાતમાં અમદાવાદ-વડોદરા એક્સપ્રેસવે પર નડિયાદ પાસે ગંભીર રોડ અકસ્માત થયો છે. આમાં 10ના મોત થઈ ગયા છે. તો, એક શખ્સની સ્થિતિ ગંભીર કહેવામાં આવી રહી છે. અકસ્માત તે સમયે થયો જ્યારે ઑઈલ ટેન્કરની પાછળથી આવતી ફાસ્ટ કાર તેની સાથે અથડાઈ.

17 April, 2024 08:22 IST | Nadiad | Gujarati Mid-day Online Correspondent
પરષોત્તમ રૂપાલાએ ઉમેદવારી ફૉર્મ ભરવા જતાં પહેલાં સભાને સંબોધી હતી.

મોટું મન રાખીને BJPના સમર્થનમાં જોડાઓ, અમારે આપ સૌના સાથની આવશ્યકતા છે

રાજકોટમાં ગઈ કાલે શક્તિપ્રદર્શન કરીને પરષોત્તમ રૂપાલાએ લોકસભા બેઠક માટે ઉમેદવારી ફૉર્મ ભર્યું અને ક્ષત્રિય સમાજનો સાથ પણ માગ્યો

17 April, 2024 09:10 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

IIT રૂરકીએ ગુજરાતમાં પ્રાગૈતિહાસિક સર્પનાં અવશેષ શોધી કાઢ્યાં

IIT રૂરકીએ ગુજરાતમાં પ્રાગૈતિહાસિક સર્પનાં અવશેષ શોધી કાઢ્યાં

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT) રૂરકીના સંશોધકોએ એક સમયે અસ્તિત્વ ધરાવતા સૌથી મોટા સાપ પૈકીના એકના અવશેષો શોધી કાઢ્યા હતાં.  જે અંદાજે 47 મિલિયન વર્ષો પહેલા જીવન જીવતાં હતા. પ્રોફેસર સુનિલ બાજપાઈ અને પોસ્ટ-ડોક્ટરલ ફેલો દેબજીત દત્તાની આગેવાની હેઠળની આ શોધ સંસ્થાના નોંધપાત્ર અશ્મિના તારણોના સંગ્રહમાં મહત્વનો ફાળો આપે છે. ઓળખાયેલ આ સાપ `વાસુકી ઇન્ડિકસ` જે મધ્ય ઇઓસીન યુગ દરમિયાન હાલના ગુજરાતમાં રહેતો હતો. લુપ્ત થઈ ગયેલ Madatsoidae સર્પ ફેમિલી સાથે સંબંધિત વાસુકી ઇન્ડિકસ ભારત માટે વિશિષ્ટ વંશનું પ્રતિનિધિત્વ કરે છે. તેનું મૂળ નામ વાસુકીના નિરૂપણ પરથી લેવામાં આવ્યું છે. વાસુકી ઇન્ડિકસની આશ્ચર્યજનક શોધ આશરે 15 મીટર જેટલી લાંબી હોવાનો અંદાજ છે.

23 April, 2024 02:32 IST | Ahmedabad

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK