શાહબાઝ શરીફ તાજિકિસ્તાનની મુલાકાતે પહોંચ્યા હતા
પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ
પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે ગાઝા સંકટની તુલના સિંધુ જળસંધિ સાથે કરી છે. તેમણે તાજિકિસ્તાનમાં સંબોધન કરતાં ગાઝા કટોકટીનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે ‘આજે ગાઝામાં શસ્ત્રોના ઉપયોગને કારણે વિશ્વ તાજા ઘા જોઈ રહ્યું છે. હવે આપણે એક નવું ખતરનાક શસ્ત્ર જોઈ રહ્યા છીએ - પાણીનો હથિયાર તરીકે ઉપયોગ.’
તાજિકિસ્તાનની રાજધાની દુશાંબેમાં ૨૯-૩૧ મે દરમ્યાન ગ્લૅસિયર્સના સંરક્ષણ પર આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન થઈ રહ્યું છે જેને લઈને શાહબાઝ શરીફ તાજિકિસ્તાનની મુલાકાતે પહોંચ્યા હતા. એ દરમ્યાન શાહબાઝ શરીફે પર્યાવરણ સંરક્ષણના આ ગંભીર મુદ્દાને તેમના દેશની આતંકવાદ-પ્રાયોજિત વિદેશનીતિ સાથે જોડ્યો છે. પરિષદને સંબોધતાં શાહબાઝ શરીફે કહ્યું હતું કે સિંધુ બેસિનના પાણીની વહેંચણીને નિયંત્રિત કરતી સિંધુ જળસંધિને સ્થગિત કરવાનો ભારતનો એકપક્ષીય અને ગેરકાયદે નિર્ણય અત્યંત ખેદજનક છે.

