Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝનું ચોંકાવનારું નિવેદન સિંધુ કરારની તુલના ગાઝા સંકટ સાથે કરી

પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝનું ચોંકાવનારું નિવેદન સિંધુ કરારની તુલના ગાઝા સંકટ સાથે કરી

Published : 31 May, 2025 08:08 AM | IST | Islamabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શાહબાઝ શરીફ તાજિકિસ્તાનની મુલાકાતે પહોંચ્યા હતા

પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ

પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ


પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે ગાઝા સંકટની તુલના સિંધુ જળસંધિ સાથે કરી છે. તેમણે તાજિકિસ્તાનમાં સંબોધન કરતાં ગાઝા કટોકટીનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે ‘આજે ગાઝામાં શસ્ત્રોના ઉપયોગને કારણે વિશ્વ તાજા ઘા જોઈ રહ્યું છે. હવે આપણે એક નવું ખતરનાક શસ્ત્ર જોઈ રહ્યા છીએ - પાણીનો હથિયાર તરીકે ઉપયોગ.’


તાજિકિસ્તાનની રાજધાની દુશાંબેમાં ૨૯-૩૧ મે દરમ્યાન ગ્લૅસિયર્સના સંરક્ષણ પર આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન થઈ રહ્યું છે જેને લઈને શાહબાઝ શરીફ તાજિકિસ્તાનની મુલાકાતે પહોંચ્યા હતા. એ દરમ્યાન શાહબાઝ શરીફે પર્યાવરણ સંરક્ષણના આ ગંભીર મુદ્દાને તેમના દેશની આતંકવાદ-પ્રાયોજિત વિદેશનીતિ સાથે જોડ્યો છે. પરિષદને સંબોધતાં શાહબાઝ શરીફે કહ્યું હતું કે સિંધુ બેસિનના પાણીની વહેંચણીને નિયંત્રિત કરતી સિંધુ જળસંધિને સ્થગિત કરવાનો ભારતનો એકપક્ષીય અને ગેરકાયદે નિર્ણય અત્યંત ખેદજનક છે. 


Whatsapp-channel Whatsapp-channel

31 May, 2025 08:08 AM IST | Islamabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK