Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > માધવબાગના ૧૫૦ વર્ષ જૂના લક્ષ્મીનારાયણ મંદિરમાં ભારતીય સૈનિકો માટે પૂજા-અર્ચના

માધવબાગના ૧૫૦ વર્ષ જૂના લક્ષ્મીનારાયણ મંદિરમાં ભારતીય સૈનિકો માટે પૂજા-અર્ચના

Published : 10 May, 2025 01:25 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મંદિરને ૧૫૦ વર્ષ થયાં હોવાથી ભગવાન મહાદેવ, હનુમાન અને ગોમાતાનું પૂજન પણ કરવામાં આવ્યું હતું.

૧૫૦ વર્ષ જૂના લક્ષ્મીનારાયણ મંદિર

૧૫૦ વર્ષ જૂના લક્ષ્મીનારાયણ મંદિર


તળ મુંબઈના માધવબાગમાં આવેલા ૧૫૦ વર્ષ જૂના લક્ષ્મીનારાયણ મંદિરમાં ગઈ કાલે રાજ્યપાલ સી. પી. રાધાકૃષ્ણન અને કૅબિનેટ પ્રધાન મંગલ પ્રભાત લોઢાએ ભગવાનનાં દર્શન કરીને પૂજા કરી હતી. તેમણે પહલગામ હુમલામાં જીવ ગુમાવનારા નાગરિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને હાલ પાકિસ્તાન સામે લડી રહેલા સૈનિકોની રક્ષા થાય તેમ જ તેમને માનસિક અને આધ્યાત્મિક બળ મળી રહે એ માટે વિશેષ પ્રાર્થના અને પૂજા કરી હતી.


મંગલ પ્રભાત લોઢાએ કહ્યું હતું કે ‘ભારતનું સૈન્ય એ વિશ્વનાં સર્વોત્તમ સૈન્યોમાંનું એક છે. એની ટે​ક્નિકલ કૅપેસિટી, મનોબળ અને દેશભક્તિ અદ્વિતીય છે. તેમની પાછળ ઊભા રહેવું એ દરેક નાગરિકની જવાબદારી છે.’ 



મંદિરને ૧૫૦ વર્ષ થયાં હોવાથી ભગવાન મહાદેવ, હનુમાન અને ગોમાતાનું પૂજન પણ કરવામાં આવ્યું હતું.  


Whatsapp-channel Whatsapp-channel

10 May, 2025 01:25 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK