Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ભારત-પાકિસ્તાનના યુદ્ધ વિશે ખોટી માહિતી ફેલાવતી ૫૦૦૦ સોશ્યલ મીડિયા પોસ્ટને હટાવી દેવામાં આવી

ભારત-પાકિસ્તાનના યુદ્ધ વિશે ખોટી માહિતી ફેલાવતી ૫૦૦૦ સોશ્યલ મીડિયા પોસ્ટને હટાવી દેવામાં આવી

Published : 11 May, 2025 11:27 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મહારાષ્ટ્ર સાઇબર પોલીસ ફેક ન્યુઝ પર નજર રાખીને કાર્યવાહી કરી રહી છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ ઊભી થઈ છે અને એકબીજા પર મિસાઇલ અને ડ્રોન હુમલા કરવામાં આવી રહ્યા છે ત્યારે આર્મીની મૂવમેન્ટ અને વ્યૂહાત્મક પોઝિશન્સ સહિતની ખોટી માહિતી સોશ્યલ મીડિયામાં આપવામાં આવી રહી છે. મહારાષ્ટ્ર સાઇબર પોલીસ આવી પોસ્ટ પર નજર રાખી રહી છે અને અત્યાર સુધી ૫૦૦૦ પોસ્ટ ડિલીટ કરી હોવાનું જાણવા 
મળ્યું હતું.


મુંબઈ સાઇબર પોલીસના એક અધિકારીના જણાવ્યા મુજબ ૭ મેએ ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં ઍર સ્ટ્રાઇક કરી ત્યાર બાદ યુદ્ધ જેવી સ્થિતિ ઊભી થઈ છે. આવા સમયે આર્મીના ઑપરેશનના ન્યુઝ વિશે ઍડ્વાઇઝરી જાહેર કરવામાં આવી હોવા છતાં સોશ્યલ મીડિયામાં જાતજાતની પોસ્ટ કરવામાં આવી રહી છે જે ચિંતાનો વિષય છે. ફેક પોસ્ટને હટાવવા માટે સંબંધિત સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ્સને નોટિસ મોકલવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં ૫૦૦૦ જેટલી ફેક કે ખોટી માહિતી આપનારી પોસ્ટને હટાવવામાં આવી છે.


Whatsapp-channel Whatsapp-channel

11 May, 2025 11:27 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK