Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > કબૂતરખાનાના વિવાદમાં પાલિકા કોર્ટના નિર્ણય સાથે લોકલાગણીને પણ ધ્યાનમાં લે : મંગલ પ્રભાત લોઢા

કબૂતરખાનાના વિવાદમાં પાલિકા કોર્ટના નિર્ણય સાથે લોકલાગણીને પણ ધ્યાનમાં લે : મંગલ પ્રભાત લોઢા

Published : 04 August, 2025 08:50 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મંગલ પ્રભાત લોઢાએ પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે ચણના અભાવે કબૂતરો રસ્તા પર મરી રહ્યાં છે, જે જાહેર આરોગ્ય માટે નવી સમસ્યા છે. તેમણે આશા વ્યક્ત કરી છે

મંગલ પ્રભાત લોઢા

મંગલ પ્રભાત લોઢા


કબૂતરખાના પર પ્રતિબંધ વિશે પ્રધાન મંગલ પ્રભાત લોઢાએ પાલિકાના કમિશનરને પત્ર લખી રજૂઆત કરી છે.


મહાનગર મુંબઈમાં કબૂતરોને ચણ નાખવા પર પ્રતિબંધો લાદવામાં આવ્યા બાદ ઊભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લેતાં રાજ્યના કૅબિનેટ પ્રધાન મંગલ પ્રભાત લોઢાએ મુંબઈ મહાનગરપાલિકાના કમિશનરને પત્ર લખીને પક્ષીપ્રેમીઓ, સંતો અને નાગરિકો દ્વારા વ્યક્ત કરાયેલી લાગણીઓને ધ્યાનમાં લેવાની વિનંતી કરી છે. તેમણે પત્ર દ્વારા કોર્ટના નિર્ણયનો આદર કરીને કોઈ ઉકેલ શોધવાની અપીલ કરી છે.



મંગલ પ્રભાત લોઢાએ પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે ચણના અભાવે કબૂતરો રસ્તા પર મરી રહ્યાં છે, જે જાહેર આરોગ્ય માટે નવી સમસ્યા છે. તેમણે આશા વ્યક્ત કરી છે કે મહાનગરપાલિકા આ સંદર્ભમાં વ્યાપક અને સંતુલિત અભિગમ અપનાવે. આ પત્રમાં તેમણે નીચેનાં સૂચનો કર્યાં છે:


  • કબૂતરોને ચણ નાખવા માટે વૈકલ્પિક પગલાં અમલમાં મૂકવાં જોઈએ.
  • BKC, રેસકોર્સ, આરે કૉલોની, સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન જેવી ખુલ્લી જગ્યાઓને સલામત અને નિયંત્રિત ખોરાક ક્ષેત્રો તરીકે માન્યતા આપવી જોઈએ.
  • લાંબા સમયથી ચાલતી ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાઓનો આદર કરીને નિર્ણયો લેવા જોઈએ.
  • જાહેર લાગણીઓ, જાહેર આરોગ્ય અને જીવદયા એમ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને સંતુલિત વિકલ્પ અમલમાં લાવવો જોઈએ.

લોઢાએ આશા વ્યક્ત કરી હતી કે મહાનગરપાલિકા એક જવાબદાર સંસ્થા છે અને અબોલ જીવોની રક્ષા માટે અહીં માનવીય અને જીવદયાનો અભિગમ અપનાવવામાં આવે એવી જનતા એની પાસે આશા રાખે છે.


કબૂતરોનાં દાણાપાણી બંધ કરવા બદલ સોશ્યલ મીડિયા પર કેટલાક સૂચક સવાલો

કબૂતરોનાં દાણાપાણી બંધ કરવા બદલ સોશ્યલ મીડિયા પર કેટલાક સૂચક સવાલો કરવામાં આવ્યા છે અને સરકાર પાસે જવાબ માગવામાં આવ્યો છે.

  • પૉલ્ટ્રી ફાર્મમાં જેવી બંધ જગ્યાએ કન્ટેમિનેશનને કારણે બીમારી થઈ શકે છે, પણ કબૂતરખાના જેવી ઓપન સ્પેસમાં કબૂતરોને કારણે બીમારી ફેલાય છે એવું કોઈ રિસર્ચ કે પાકા પુરાવા છે ખરા? ડૉક્ટરો કહે છે કે રૅરેસ્ટ ઑફ રૅર કેસ બની શકે, બાકી શક્યતાઓ નથી. તો ડૉક્ટરોની એ દલીલ ખોટી?
  • જો કબૂતરોથી બીમારી ફેલાય છે તો શું મુંબઈનાં જ કબૂતરોથી બીમારી ફેલાય છે? ભારતમાં તો હજારો મંદિરો છે. રોજનાં લાખો કબૂતરો ત્યાં ચણ ખાય છે. ત્યાં તો કશું થતું નથી. મુંબઈનાં કબૂતરખાનાંઓના કર્મચારીઓને પણ ક્યારેય કશું નથી થયું. તો પછી મુંબઈનાં જ કબૂતરખાનાંઓ બંધ કરવાનું ફરમાન કેમ?
Whatsapp-channel Whatsapp-channel

04 August, 2025 08:50 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK