Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબ્રા દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત મુસાફરે સારવાર દરમ્યાન જીવ ગુમાવ્યો, વધુ એક મુસાફર વેન્ટિલેટર પર

મુંબ્રા દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત મુસાફરે સારવાર દરમ્યાન જીવ ગુમાવ્યો, વધુ એક મુસાફર વેન્ટિલેટર પર

Published : 20 June, 2025 11:49 AM | Modified : 21 June, 2025 07:21 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૫૧ વર્ષના અનિલ મોરેનું ગુરુવારે સવારે મૃત્યુ થયું હતું. બાકીના ઈજાગ્રસ્ત મુસાફરોને સારવાર બાદ તબિયત સુધરતાં હૉસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


પાંચમી જૂને મુંબ્રા સ્ટેશન પર લોકલ ટ્રેનમાંથી પડી જવાને કારણે ચાર લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ યાદીમાં ગુરુવારે એક વધુ નામ જોડાયું હતું. અકસ્માતમાં ઈજા પામેલા અનિલ મોરે નામના મુસાફરની ખાનગી હૉસ્પિટલમાં સારવાર ચાલતી હતી જ્યાં તેનું મૃત્યુ થયું હતું. વધુ એક ઈજાગ્રસ્ત મુસાફરની સારવાર ચાલી રહી છે જે વેન્ટિલેટરના સપોર્ટ પર છે એમ થાણેના મહેસૂલી અધિકારી ઉમેશ પાટીલે જણાવ્યું હતું. ૫૧ વર્ષના અનિલ મોરેનું ગુરુવારે સવારે મૃત્યુ થયું હતું. બાકીના ઈજાગ્રસ્ત મુસાફરોને સારવાર બાદ તબિયત સુધરતાં હૉસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.


Whatsapp-channel Whatsapp-channel

21 June, 2025 07:21 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK