Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > લગ્ન કરતાં પહેલાં થૅલેસેમિયાની ટેસ્ટ ફરજિયાત કરશે સરકાર

લગ્ન કરતાં પહેલાં થૅલેસેમિયાની ટેસ્ટ ફરજિયાત કરશે સરકાર

Published : 04 July, 2025 07:25 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વિધાનસભાના સત્રમાં પ્રશ્નોત્તરી દરમ્યાન આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. અત્યારે મહારાષ્ટ્રમાં થૅલેસેમિયાના ૧૨,૮૬૦ દરદીઓ છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


લગ્ન કરતાં પહેલાં થૅલેસેમિયાની ટેસ્ટ ફરજિયાત કરીને આ જીવલેણ રોગને કાબૂમાં લાવવાનો પ્રયત્ન કરવામાં આવશે એમ પબ્લિક હેલ્થ મિનિસ્ટર મેઘના બોરડીકરે જણાવ્યું હતું. વિધાનસભાના સત્રમાં પ્રશ્નોત્તરી દરમ્યાન આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. અત્યારે મહારાષ્ટ્રમાં થૅલેસેમિયાના ૧૨,૮૬૦ દરદીઓ છે.


થૅલેસેમિયા જિનેટિક બ્લડ ડિસઑર્ડર છે જેમાં દરદીનું શરીર લાલ રક્તકણો બનાવી શકતું નથી તેથી શરીરમાં હીમોગ્લોબિન બનતું નથી. લગ્ન કરવા માગતાં બન્ને પાત્રો અગાઉથી જ આ ટેસ્ટ કરાવે તો તેમના આવનાર બાળકને થૅલેસેમિયાના રોગનો ભોગ બનતું અટકાવી શકાય. મહારાષ્ટ્રમાંથી થૅલેસેમિયા નાબૂદ કરવાનું મિશન પરભણી જિલ્લાથી શરૂ કરવામાં આવશે તેમ જ દરેક જિલ્લામાં થૅલેસેમિયા સારવાર કેન્દ્રો ઊભાં કરવામાં આવશે એમ મેઘના બોરડીકરે જણાવ્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

04 July, 2025 07:25 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK