Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > હવે શિર્ડીના સાંઈબાબા મંદિરમાં થશે મિનિમમ ૧૦,૦૦૦ રૂપિયામાં VIP આરતી

હવે શિર્ડીના સાંઈબાબા મંદિરમાં થશે મિનિમમ ૧૦,૦૦૦ રૂપિયામાં VIP આરતી

Published : 14 May, 2025 10:13 AM | IST | Shirdi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તિરુપતિ બાલાજીની જેમ ડોનેશન-પૉલિસી બનાવવામાં આવી, અલગ-અલગ સ્લૅબ જાહેર કરવામાં આવ્યા

શિર્ડી સાઈબાબા મંદિર

શિર્ડી સાઈબાબા મંદિર


મહારાષ્ટ્રના શિર્ડીમાં આવેલા સાંઈબાબાનાં દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો દેશભરમાંથી આવે છે. સાંઈબાબાના મંદિરમાં ભક્તો રોકડ રકમથી માંડીને સોના-ચાંદીના દાગીના ચડાવીને ડોનેશન પણ આપે છે. ડોનેશન આપનારા VIP ભક્તો માટે સાંઈબાબા સંસ્થાને તિરુપતિ બાલાજી મંદિરમાં ડોનેશન આપવા માટેની  જે પૉલિસી અમલમાં છે એના આધારે નવી ડોનેશન-પૉલિસી બનાવી છે.  નવી ડોનેશન-પૉલિસી મુજબ પહેલાં જ્યાં સાંઈબાબાની આરતી કરવા માટે મિનિમમ ૨૫,૦૦૦ રૂપિયાનું ડોનેશન લેવામાં આવતું હતું એમાં ઘટાડો કરીને ૧૦,૦૦૦ રૂપિયા કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે દર વર્ષે ભક્તો મોટા પ્રમાણમાં દાન કરતા હોવાથી સાંઈબાબા મંદિર પાસે ૫૧૪ કિલો સોનાના દાગીના જમા થયા છે. હવે ડોનેશનની નવી પૉલિસી બનાવવાથી મંદિરની આવકમાં વધારો થવાની શક્યતા છે.


સાંઈ સંસ્થાનના મુખ્ય કાર્યકારી અધિકારી ગોરક્ષ ગાડીલકરે કહ્યું હતું કે ‘સાંઈબાબાનાં દર્શન માટે ભારતમાંથી લાખો સાંઈભક્તો આવે છે. ભક્તોને બાબાનાં સારી રીતે દર્શન થઈ શકે અને તેમને સારી સુવિધા મળી શકે એ માટે અમે પ્રયાસ કરીએ છીએ. મંદિરમાં ડોનેશન આપનારા ભક્તોની માગણી હતી કે દાન આપનારાઓને વિશેષ સુવિધાઓ આપવી જોઈએ. આથી અમે ડોનેશન પૉલિસી બનાવી છે.’



કેવી છે ડોનેશન પૉલિસી?


  • ૧૦થી ૫૦ હજાર રૂપિયાનું દાન આપનારા ભક્તોને પાંચ લોકો સાથે આરતીનો લાભ મળશે.
  • ૫૦ હજારથી એક લાખ રૂપિયાનું દાન આપનારા ભક્તો બે વખત આરતીનો લાભ અને વર્ષમાં એક વખત દર્શન કરવાની લાઇફટાઇમ સુવિધા મળશે.
  • એકથી દસ લાખ રૂપિયાનું ડોનેશન કરનારા ભક્તોને બે VIP આરતીનો લાભ અને વર્ષમાં એક વખત દર્શન કરવાની લાઇફટાઇમ સુવિધા મળશે.
  • ૧૦થી ૧૫ લાખ રૂપિયાનું ડોનેશન કરનારા ભક્તોને બે VVIP આરતીનો લાભ અને વર્ષમાં એક વખત પાંચ વ્યક્તિને દર્શન કરવાની લાઇફટાઇમ સુવિધા મળશે.
  • ૫૦ લાખથી વધુ રૂપિયાનું ડોનેશન કરનારા ભક્તોને ત્રણ VIP આરતીનો લાભ અને વર્ષમાં બે વખત દર્શન કરવાની લાઇફટાઇમ સુવિધા મળશે.
  • પંઢરપુર મંદિરની જેમ દર્શનની લાઇનમાં ઊભેલા સામાન્ય ભક્તોમાંથી પહેલા બે ભાવિકને આરતીનો લાભ મળશે.

Whatsapp-channel Whatsapp-channel

14 May, 2025 10:13 AM IST | Shirdi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK