Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > પ્રશાંત કિશોર ફર્શ પર: એક પણ બેઠક ન મળી

પ્રશાંત કિશોર ફર્શ પર: એક પણ બેઠક ન મળી

Published : 15 November, 2025 10:12 AM | IST | Patna
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બિહારનાં ગામડાંઓમાં પદયાત્રાઓ કરીને અને નવી પૉલિટિકલ પાર્ટી બનાવીને મોટા વિજયનો દાવો કરતા પ્રશાંત કિશોરની પાર્ટીને એક પણ બેઠક મળી નથી

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


પૉલિટિકલ સ્ટ્રૅટેજિસ્ટ તરીકે અનેક પાર્ટીઓના વિજયનો યશ લેતા પ્રશાંત કિશોર પોતે જ્યારે પૉલિટિક્સના મેદાનમાં ઊતર્યા ત્યારે ઊંધા માથે પટકાયા છે. બિહાર વિધાનસભા ચૂંટણી પહેલાં એક વર્ષથી બિહારનાં ગામડાંઓમાં પદયાત્રાઓ કરીને અને નવી પૉલિટિકલ પાર્ટી બનાવીને મોટા વિજયનો દાવો કરતા પ્રશાંત કિશોરની પાર્ટીને એક પણ બેઠક મળી નથી. આ સમયે તેમણે આપેલા એક જૂના ઇન્ટરવ્યુનો વિડિયો સામે આવ્યો હતો. આ વિડિયોમાં પ્રશાંત કિશોરે કહ્યું હતું કે ‘બિહારમાં અમારી જન સુરાજ પાર્ટી કાં તો ભવ્ય વિજય મેળવીને અર્શ પર હશે અથવા ફર્શ પર હશે.’ અલબત્ત, તેમણે લડેલી તમામ ૨૩૮ બેઠકો પર પાર્ટીની હાર થઈ હતી અને ૬૮ બેઠકો પર જન સુરાજને NOTA કરતાં પણ ઓછા વોટ મળ્યા હતા. જોકે જન સુરાજ પાર્ટીનો કુલ વોટશૅર ૩.૪૪ ટકા જેટલો રહ્યો હતો, જેને ઘણા વિશ્લેષકોએ નવા રાજકીય પક્ષ માટે સારો ગણાવ્યો હતો, કારણ કે ડાબેરી પક્ષો સહિત અનેક નાની પાર્ટીઓને જન સુરાજે પાછળ છોડી દીધી હતી.


Whatsapp-channel Whatsapp-channel

15 November, 2025 10:12 AM IST | Patna | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK