Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > બદરીનાથમાં બાર વર્ષ બાદ આ વર્ષે થશે પુષ્કર કુંભ

બદરીનાથમાં બાર વર્ષ બાદ આ વર્ષે થશે પુષ્કર કુંભ

Published : 27 April, 2025 09:18 AM | IST | Uttarakhand
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વેદવ્યાસે જ્યાં મહાભારતની રચના કરી હતી એ સરસ્વતી ઉદ્ગમસ્થાન પર બદરીનાથમાં બાર વર્ષ બાદ આ વર્ષે થશે પુષ્કર કુંભ

સરસ્વતી નદી

સરસ્વતી નદી


ઉત્તરાખંડમાં યોજાતી ચારધામયાત્રા આ વર્ષે ખાસ રહેશે, કારણ કે ચમોલી જિલ્લામાં બદરીનાથ પાસે માણા ગામમાં સરસ્વતી નદીના ઉદ‌્ગમસ્થાન પર જ્યાં વેદવ્યાસે મહાભારતની રચના કરી હતી ત્યાં આ વર્ષે બાર વર્ષ બાદ પુષ્કર કુંભ યોજાશે. માણા ગામથી માત્ર એક કિલોમીટરના અંતરે સરસ્વતી નદી વહે છે. આ સ્થળે ગણેશગુફા અને વ્યાસપોથી પણ આવેલી છે. બૃહસ્પતિ એટલે કે ગુરુ ગ્રહનો મિથુન રાશિમાં પ્રવેશ થાય ત્યારે આ પુષ્કર કુંભ થાય છે. 


૧૫ મેથી શરૂ થનારા આ પુષ્કર કુંભમાં દક્ષિણ ભારતના આચાર્યો સામેલ થશે. પચીસ મેએ આ પુષ્કર કુંભનું સમાપન થશે. આ આયોજન સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવે છે. બદરીનાથ કેદારનાથ મંદિર સમિતિ દ્વારા એની વ્યવસ્થા કરવામાં આવે છે જેથી આવનારા ભાવિકોને મુશ્કેલી પડે નહીં. આ વર્ષે આ સમયગાળા દરમ્યાન તમામ હોટેલ અને લૉજનાં બુકિંગ ફુલ છે.
૪ મેથી બદરીનાથ મંદિરનાં કપાટ ખૂલી જશે. એ પહેલાં ૩૦ એપ્રિલે યમુનોત્રી અને ગંગોત્રી તથા બે મેએ કેદારનાથ ધામનાં કપાટ ખૂલશે.


Whatsapp-channel Whatsapp-channel

27 April, 2025 09:18 AM IST | Uttarakhand | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK