Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > તેજસ ક્રૅશ: શહિદ વિંગ કમાન્ડરની અંતિમ યાત્રા હિમાચલમાં, મૃતદેહ આવતા પરિવાર ભાવુક

તેજસ ક્રૅશ: શહિદ વિંગ કમાન્ડરની અંતિમ યાત્રા હિમાચલમાં, મૃતદેહ આવતા પરિવાર ભાવુક

Published : 23 November, 2025 05:08 PM | IST | Himachal Pradesh
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

નમાંશ સ્યાલના પિતરાઈ ભાઈ અંતિમ સંસ્કાર કરશે. નમાંશનો કોઈ સગો ભાઈ નથી. તેમને એક જ પુત્રી છે. નમાંશની સાત વર્ષની પુત્રી તેના દાદા-દાદી સાથે જોવા મળી હતી. નમાંશ સ્યાલના મામા, જોગીન્દર સ્યાલે જણાવ્યું હતું કે નમાંશ હાલમાં કોઈમ્બતુરના સૈલુરમાં પોસ્ટેડ હતા

ભારતીય ઍર ફોર્સના પાઇલટ વિંગ કમાન્ડર નમાંશ સ્યાલનો પરિવાર અંતિમ દર્શન માટે પહોંચ્યો (તસવીર: X)

ભારતીય ઍર ફોર્સના પાઇલટ વિંગ કમાન્ડર નમાંશ સ્યાલનો પરિવાર અંતિમ દર્શન માટે પહોંચ્યો (તસવીર: X)


દુબઈમાં શુક્રવારે ઍર શો દરમિયાન તેજસ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ભારતીય ઍર ફોર્સના પાઇલટ વિંગ કમાન્ડર નમાંશ સ્યાલનો પાર્થિવ દેહ રવિવારે એક ખાસ ફ્લાઇટ દ્વારા હિમાચલ પ્રદેશના તેમના વતન ગામે લાવવામાં આવ્યો હતો. આ દરમિયાન તેમના પત્ની વિંગ કમાન્ડર અફશાન, તેમના પતિના પાર્થિવ દેહ અને પરિવાર સાથે ઍરફોર્સ યુનિફોર્મમાં કાંગરા ઍરપોર્ટ પર પહોંચ્યા હતા. અંતિમ દર્શન માટે તેમની સાત વર્ષની પુત્રી પણ સાથે હતી. જવાનની પુત્રી આઘાતમાં હતી અને તે સમજી શકતી ન હતી. આ દરમિયાન, શહિદની માતા વીણા દેવી રડતા રડતા બહાર આવ્યા અને અધિકારીઓએ તેમને સાંત્વના આપી. પિતા જગન્નાથ પણ તેમના આંસુ રોકી શક્યા નહીં. શહિદ પાયલટ નમાંશ સ્યાલનો મૃતદેહને તેમના વતન ગામ, પટિયાલાકડા લઈ આવ્યા બાદ અહીંના મોક્ષધામ ખાતે સંપૂર્ણ લશ્કરી સન્માન સાથે તેમના પર અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. નમાંશ સ્યાલના પિતા, જગન્નાથ, કોઈમ્બતુરથી કાંગરા ઍરપોર્ટ પર પહોંચ્યા અને તેમના પુત્રના નિધન પર તેઓ દુ:ખી હતા અને રડી પડ્યા હતા.




એક પિતરાઈ ભાઈ અંતિમ સંસ્કાર કરશે.

નમાંશ સ્યાલના પિતરાઈ ભાઈ અંતિમ સંસ્કાર કરશે. નમાંશનો કોઈ સગો ભાઈ નથી. તેમને એક જ પુત્રી છે. નમાંશની સાત વર્ષની પુત્રી તેના દાદા-દાદી સાથે જોવા મળી હતી. નમાંશ સ્યાલના મામા, જોગીન્દર સ્યાલે જણાવ્યું હતું કે નમાંશ હાલમાં કોઈમ્બતુરના સૈલુરમાં પોસ્ટેડ હતા. તેની પત્ની, અફશાન, વાયુસેનામાં પાઇલટ છે અને હાલમાં કોલકાતામાં તાલીમ લઈ રહી હતી. નમાંશના માતાપિતા તેમની સાત વર્ષની પુત્રીની સંભાળ રાખવા માટે સૈલુરમાં હતા.


કોઈમ્બતુરથી ખાસ વિમાનમાં મૃતદેહ લાવવામાં આવ્યો

જોગીન્દર સ્યાલે જણાવ્યું હતું કે નમાંશનો મૃતદેહ રવિવારે સવારે લગભગ 9 વાગ્યે વાયુસેનાના ખાસ વિમાનમાં કોઈમ્બતુરથી લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ ફ્લાઇટ દિલ્હીથી ગગ્ગલ ઍરપોર્ટ માટે રવાના થઈ.

હિમાચલ સરકારના મંત્રી ગોમાએ શ્રદ્ધાંજલિ આપી

હિમાચલ પ્રદેશ સરકાર વતી, રમતગમત અને આયુષ મંત્રી યાદવિન્દ્ર ગોમા, નાગરોટા બાગવાનના કેબિનેટ કક્ષાના ધારાસભ્ય રઘુવીર સિંહ બાલી અને શાહપુરના ધારાસભ્ય કેવલ પઠાનિયાએ શહીદને શ્રદ્ધાંજલિ આપી. ડેપ્યુટી કમિશનર, પોલીસ અધિક્ષક અને વહીવટીતંત્રના અન્ય અધિકારીઓ સહિત ગામના લોકો પણ અંતિમયાત્રામાં જોડાયા હતા.

લશ્કરી સન્માન સાથે અંતિમ સંસ્કાર

શહીદ નમાંશ સ્યાલનો લશ્કરી સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. આ માટેની તૈયારીઓ પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી હતી.

પાઇલટે પોતાનો જીવ આપીને દર્શકોને બચાવ્યા

આ ઘટના સમયે ત્યાં હાજર ભારતીય પ્રવાસી શાઝુદ્દીન જબ્બારે કહ્યું હતું કે ‘જેટ નીચે પડવાનું શરૂ થયું ત્યારે પાઇલટે કોશિશ કરી કે એ જ્યાં દર્શકો છે એ તરફ ન જાય. દર્શકોને બચાવવા માટે પાઇલટ ઍરક્રાફ્ટને બીજી તરફ દોરી ગયો હતો. જે રીતે નીચે પડતી વખતે ઍરક્રાફ્ટ બીજી તરફ ફંટાયું એ પરથી મને વિશ્વાસ છે કે પાઇલટે લોકોને બચાવવા માટે આ પ્રયાસ કર્યો, પરંતુ એને કારણે તેને પોતાને બચવાનો સમય નહીં મળ્યો હોય.’

Whatsapp-channel Whatsapp-channel

23 November, 2025 05:08 PM IST | Himachal Pradesh | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK