મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે એક્સપર્ટ્સને તેમના ઑપિનિયન્સ દિલ્હી ડિઝાસ્ટર મૅનેજમેન્ટ ઑથોરિટીને જણાવવા કહ્યું છે.
પ્રતીકાત્મક તસવીર
ADVERTISEMENT
ઉત્તરાખંડ : આ રાજ્યમાં સરકારે કોરોનાના ફેલાવાને રોકવા માટે ટેસ્ટિંગ વધાર્યું છે. રાજ્ય સરકારે જાહેર સ્થળોએ સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન અને હૉસ્પિટલમાં પૂરતી વ્યવસ્થા કરવાનો પણ સ્થાનિક વહીવટી તંત્રને આદેશ આપ્યો છે.
‘વૅક્સિન્સ ઓમિક્રોન વિરુદ્ધ અસરકારક હોવાનું જણાય છે’
નવા વેરિઅન્ટ સામે કોરોનાની વૅક્સિન્સ અસરકારક રહેશે કે નહીં એ સૌથી મોટો સવાલ છે ત્યારે જ્યાં આ વેરિઅન્ટના કેસ આવ્યા છે એ સાઉથ આફ્રિકાના હેલ્થ મિનિસ્ટર જો ફાહલાએ એના વિશે ગઈ કાલે નોંધપાત્ર વાત કહી હતી. તેમનું કહેવું છે કે કોરોનાની અત્યારે અવેલેબલ વૅક્સિન્સ ઓમિક્રોન વિરુદ્ધ અસરકારક હોવાનું જણાય છે. ઓમિક્રોન એના જિનેટિક કમ્પોઝિશનના કારણે વધુ ચેપી હોઈ શકે છે.
ચીનમાં ત્રણ કેસ આવતાં ૫૦૦ ફ્લાઇટ્સ કૅન્સલ, સ્કૂલ્સ બંધ
જર્મનીમાં પણ ઓમિક્રોનની એન્ટ્રીની શંકા
ચેતવણીઃ બાંધકામને કારણે ઉત્તરાખંડનું ગામ નીચે સરકી રહ્યું છે
અમેરિકાએ ૨૬/૧૧ના ગુનેગારો વિરુદ્ધ ટ્રાયલ ઝડપી કરવા જણાવ્યું
૨૬/૧૧ના આતંકવાદી હુમલાની ૧૩મી વરસીએ મુંબઈગરાના દૃઢ મનોબળ અને આતંકના ઓછાયામાંથી ફરી બેઠા થવાની માનસિકતાને વખાણતાં અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિનકેને વર્ષ ૨૦૦૮માં પાકિસ્તાન પ્રેરિત એલઈટી આતંકવાદીઓ દ્વારા કરાયેલા કતલેઆમના ગુનેગારોની વિરુદ્ધ ટ્રાયલ ઝડપી કરવા પર ભાર મૂક્યો હતો. ૨૬/૧૧ના આતંકવાદી હુમલાને ૧૩ વર્ષ વીતી ગયાં છે અને આ દિવસે અમે આતંકવાદી હુમલાનો ભોગ બનેલા છ અમેરિકન અને મુંબઈગરા તમામને શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ છીએ એમ તેઓએ ટ્વીટ કરી કહ્યું હતું. આ પહેલાં ભારતે પણ પાકિસ્તાનને ગુનેગારો વિરુદ્ધની સુનાવણી ઝડપી ચલાવવા કહ્યું હતું.
ઍરસેલ-મેક્સિસ કેસમાં કોર્ટે ચિદમ્બરમને સમન્સ મોકલાવ્યા
ઍરસેલ-મેક્સિસ કેસમાં સીબીઆઇ અને ઈડીએ ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન પી. ચિદમ્બરમ અને તેમના પુત્ર કાર્તિની વિરુદ્ધ ફાઇલ કરેલી ચાર્જશીટની નોંધ લઈને દિલ્હી હાઈ કોર્ટે તેમને ૨૦ ડિસેમ્બરે કોર્ટ સમક્ષ હાજર રહેવા સમન્સ પાઠવ્યા છે. ચિદમ્બરમ અને તેમના પુત્ર વિરુદ્ધ ભ્રષ્ટાચાર અને મની લૉન્ડરિંગના કરાયેલા કેસમાં સમન્સ પાઠવવા પર્યાપ્ત પુરાવાઓ હોવાનું નોંધ્યા બાદ સ્પેશ્યલ જજ એમ. કે. નાગપાલે આ આદેશ પસાર કર્યો હતો. આ કેસમાં તપાસ માટે વિદેશોમાંથી પણ માહિતી મંગાવાઈ રહી છે.
એમએસપી માટેની કમિટીમાં ખેડૂતોના પ્રતિનિધિઓ રહેશે
સંસદના શિયાળુ સત્ર પહેલાં કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંઘ તોમરે ગઈ કાલે ખેડૂતોને આંદોલનનો અંત લાવવાની અપીલ કરી હતી. એમએસપી માટે કાયદેસરની ગૅરન્ટી ખેડૂતોની મુખ્ય માગણી છે ત્યારે એના વિશે તેમણે કહ્યું હતું કે ‘વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ક્રોપ ડાઇવર્સિફિકેશન, ઝીરો બજેટ ફાર્મિંગ અને એમએસપી માટે સિસ્ટમ બનાવવા જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે એક કમિટી બનાવવાની જાહેરાત કરી છે. આ કમિટીમાં ખેડૂતોના પ્રતિનિધિઓ પણ રહેશે.’
તોમરે એમ પણ કન્ફર્મ કર્યું હતું કે સોમવારથી શરૂ થતાં શિયાળુ સત્રના પહેલાં જ દિવસે ત્રણ કૃષિ કાયદાઓને રદ કરવાના બિલને સંસદમાં રજૂ કરવામાં આવશે.
તાલિબાનના મોટા નેતાઓ પાકિસ્તાનની મદરેસામાં ભણ્યા છે
પાકિસ્તાનની સૌથી વિશાળ અને જૂની મદરેસાઓમાં સામેલ દારુલ ઉલૂમ હક્કાનિયા મદરેસાને એના ટીકાકારો દ્વારા ‘યુનિવર્સિટી ઑફ જેહાદ’ ગણાવવામાં આવી છે. આ મદરેસા પર દશકાઓથી એશિયામાં આતંકવાદના બીજ રોપવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. હવે એક અહેવાલ અનુસાર મોટા ભાગના તાલિબાની નેતાઓ અહીં જ ભણ્યા છે. એટલું જ નહીં અહીંથી ભણીને બહાર આવેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અત્યારે અફઘાનિસ્તાનમાં તાલિબાની રાજમાં મહત્ત્વની જગ્યાઓ પર છે.
પાકિસ્તાનના ખૈબર પખ્તુનવા પ્રદેશમાં આવેલી આ મદરેસાની અફઘાનિસ્તાન પર ખૂબ જ અસર છે. વાસ્તવમાં આ મદરેસામાંથી ભણીને બહાર આવેલા લોકોએ જ તાલિબાની મૂવમેન્ટ શરૂ કરી હતી અને ૧૯૯૦ના દશકમાં અફઘાનિસ્તાનમાં રાજ કર્યું હતું. આ મદરેસાના વિદ્યાર્થીઓ અફઘાનિસ્તાનમાં તાલિબાનની જીતને ગર્વની બાબત તરીકે જુએ છે.