Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > મકરસંક્રાન્તિએ મહિલાઓના ખાતામાં ૩૦,૦૦૦ રૂપિયા જમા થઈ જશે

મકરસંક્રાન્તિએ મહિલાઓના ખાતામાં ૩૦,૦૦૦ રૂપિયા જમા થઈ જશે

Published : 05 November, 2025 11:05 AM | IST | Bihar
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બિહારમાં તેમની સરકાર બનશે તો આટલી વાર્ષિક સહાય આપશે તેજસ્વી યાદવ

તેજસ્વી યાદવ

તેજસ્વી યાદવ


બિહારમાં આવતી કાલે થનારી વિધાનસભાની પહેલા તબક્કાની ચૂંટણીના એક દિવસ પહેલાં ગઈ કાલે રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના નેતા તેજસ્વી યાદવે જાહેરાત કરી હતી કે જો તેઓ બિહારમાં સત્તા પર આવશે તો મહિલાઓને વાર્ષિક ૩૦,૦૦૦ રૂપિયાની નાણાકીય સહાય આપશે, આવતા વર્ષે ૧૪ જાન્યુઆરીએ મકરસંક્રાન્તિના દિવસે તેમની સરકાર ‘માઈ બહિન માન યોજના’ હેઠળ મહિલાઓને ૩૦,૦૦૦ રૂપિયા આપશે, આ નાણાં તેમનાં બૅન્ક-ખાતાંમાં જમા કરવામાં આવશે.

૨૬૧૬ ઉમેદવારો
બિહારમાં ૬ અને ૧૧ નવેમ્બરે ચૂંટણી યોજાશે અને ૧૪ નવેમ્બરે પરિણામની જાહેરાત થશે. પહેલા તબક્કામાં ૧૨૧ બેઠકો પર અને બીજા તબક્કામાં ૧૨૨ બેઠકો પર મતદાન થશે. બન્ને તબક્કાના મળીને કુલ ૨૬૧૬ ઉમેદવારો મેદાનમાં છે


Whatsapp-channel Whatsapp-channel

05 November, 2025 11:05 AM IST | Bihar | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK