Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ૩૦ જૂનથી શરૂ થશે, ઑગસ્ટ સુધી ચાલશે કૈલાસ-માનસરોવરની બાવીસ દિવસની યાત્રા

૩૦ જૂનથી શરૂ થશે, ઑગસ્ટ સુધી ચાલશે કૈલાસ-માનસરોવરની બાવીસ દિવસની યાત્રા

Published : 27 April, 2025 09:23 AM | IST | Uttarakhand
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કૈલાસ-માનસરોવર યાત્રા ૩૦ જૂનથી ઑગસ્ટ ૨૦૨૫ સુધી ચાલશે

કૈલાસ-માનસરોવર

કૈલાસ-માનસરોવર


કૈલાસ-માનસરોવર યાત્રા ૩૦ જૂનથી ઑગસ્ટ ૨૦૨૫ સુધી ચાલશે. યાત્રાનું સંચાલન રાજ્ય સરકાર અને વિદેશ મંત્રાલયના સંયુક્ત પ્રયાસથી થશે.


કૈલાસ-માનસરોવર યાત્રા કોવિડ મહામારીના કારણે ૨૦૨૦થી નથી થઈ શકી. આ વર્ષે પાંચ બૅચ ઉત્તરાખંડથી લિપુલેખ પાર કરીને યાત્રા કરશે અને ૧૦ બૅચ સિક્કિમથી નાથુ લા થઈને મુસાફરી કરશે. દરેક બૅચમાં પચાસ યાત્રાળુઓ હશે. અરજીઓ સ્વીકારવા માટે http://kmy.gov.in વેબસાઇટ ખોલવામાં આવી છે. અરજદારોમાંથી મુસાફરોની પસંદગી નિષ્પક્ષ, કમ્પ્યુટરાઇઝ્ડ સિસ્ટમ દ્વારા કરવામાં આવશે. જોકે પાંચ વર્ષ બાદ શરૂ થઈ રહેલી કૈલાસ-માનસરોવર યાત્રા પર પણ મોંઘવારીનો માર પડશે. આ વખતે શ્રદ્ધાળુઓએ કુમાઉં મંડળ વિકાસ નિગમ (KMVN)ને ૩૫,૦૦૦ની જગ્યાએ ૫૬,૦૦૦ રૂપિયા ચૂકવવા પડશે. દરેક જથ્થાની બાવીસ દિવસની યાત્રા રહેશે.


Whatsapp-channel Whatsapp-channel

27 April, 2025 09:23 AM IST | Uttarakhand | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK