Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > પિતાની મરજી વિરુદ્ધ દીકરીએ લવમૅરેજ કર્યાં તો પિતાએ તેનું ડેથ-સર્ટિફિકેટ બનાવી લીધું

પિતાની મરજી વિરુદ્ધ દીકરીએ લવમૅરેજ કર્યાં તો પિતાએ તેનું ડેથ-સર્ટિફિકેટ બનાવી લીધું

Published : 30 March, 2025 02:39 PM | Modified : 31 March, 2025 07:09 AM | IST | Patna
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બિહારના મુંગેર જિલ્લાના ખડગપુર ગામમાં એક પિતાએ તો પોતાની દીકરીને મૃત ઘોષિત કરી દીધી. માત્ર ઘોષિત જ નથી કરી, તેના મૃત્યુનો દાખલો પણ કઢાવી લીધો.

સત્તનબિંદની દીકરી સંજના કુમારીએ તેમના જ ગામના અને દિલ્હીમાં જૉબ કરતા આનંદકુમાર સાથે પ્રેમલગ્ન કર્યાં હતાં

અજબગજબ

સત્તનબિંદની દીકરી સંજના કુમારીએ તેમના જ ગામના અને દિલ્હીમાં જૉબ કરતા આનંદકુમાર સાથે પ્રેમલગ્ન કર્યાં હતાં


એવું ઘણી વાર બને કે સંતાન મરજી વિરુદ્ધ પ્રેમલગ્ન કરે તો પેરન્ટ્સ તેની સાથેનો છેડો ફાડી નાખે, પણ બિહારના મુંગેર જિલ્લાના ખડગપુર ગામમાં એક પિતાએ તો પોતાની દીકરીને મૃત ઘોષિત કરી દીધી. માત્ર ઘોષિત જ નથી કરી, તેના મૃત્યુનો દાખલો પણ કઢાવી લીધો. વાત એમ છે કે મૂળ ખડગપુરના પરંતુ પરિવાર સાથે દિલ્હીમાં રહેતા સત્તનબિંદની દીકરી સંજના કુમારીએ તેમના જ ગામના અને દિલ્હીમાં જૉબ કરતા આનંદકુમાર સાથે પ્રેમલગ્ન કર્યાં હતાં. પરિવારજનોની મંજૂરી ન હોવાથી ગયા વર્ષે ૨૮ ઑક્ટોબરે તેમણે ઘરેથી ભાગીને કોર્ટ-મૅરેજ કરી લીધાં હતાં. એ વખતે તો પરિવારજનો વિરોધ કરીને શાંત પડી ગયા, પરંતુ આગળ શું થવાનું હતું એનો કદાચ સંજના અને આનંદને નહોતો. થોડા દિવસ પછી તેનું બૅન્ક-અકાઉન્ટ બંધ થઈ ગયું ત્યારે એનું કારણ જાણવા માટે સંજના પોતાના ગામ ખડગપુર ગઈ. ત્યાં બૅન્કવાળાઓએ કહ્યું કે અમને તો તમારું ડેથ-સર્ટિફિકેટ મળ્યું હોવાથી અકાઉન્ટ બંધ કરવાની અરજી મળી હતી. સંજનાનું કહેવું છે કે ‘જે દિવસે મેં લગ્ન કર્યાં એ જ તારીખનું ડેથ-સર્ટિફિકેટ મારા પિતાએ બનાવડાવી લીધું છે. મને મૃત ઘોષિત કરવા માટે મારો મૃત ફોટો પણ જન્મ-મૃત્યુ પ્રમાણપત્ર આપતા ડિપાર્ટમેન્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. હવે હું અહીંના અધિકારીઓ પાસે રૂબરૂ જઈને મારું ઓળખપત્ર આપું છું કે હું જીવિત છું અને મને કોઈ બીમારી પણ નથી એમ છતાં મારું ડેથ-સર્ટિફિકેટ કૅન્સલ નથી થઈ રહ્યું.’  પોતાને જીવિત સાબિત કરવા માટે તેને સલાહ આપવામાં આવી છે કે જેમણે પણ તેને ખોટી રીતે મૃત ઘોષિત કરી છે તેની વિરુદ્ધ કાર્યવાહીની માગણી કરતી અરજી કરવામાં આવશે તો આ મામલો ઉપરના અધિકારીઓ સુધી લઈ જઈને તપાસ કરવામાં આવશે.


Whatsapp-channel Whatsapp-channel

31 March, 2025 07:09 AM IST | Patna | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK