Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > દીકરીના અંતિમ સંસ્કાર કર્યાના ૯ દિવસ પછી દીકરી જીવતી મળી

દીકરીના અંતિમ સંસ્કાર કર્યાના ૯ દિવસ પછી દીકરી જીવતી મળી

Published : 18 June, 2025 10:50 AM | Modified : 19 June, 2025 06:58 AM | IST | Hamirpur
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઉત્તર પ્રદેશના હમીરપુરમાં મલખાન પ્રજાપતિ નામના પિતાની શિવાની નામની દીકરી દોઢ મહિનાથી ગાયબ હતી.

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

અજબગજબ

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા


ઉત્તર પ્રદેશના હમીરપુરમાં મલખાન પ્રજાપતિ નામના પિતાની શિવાની નામની દીકરી દોઢ મહિનાથી ગાયબ હતી. મલખાને પોતાના ગામની એક વ્યક્તિ પર અપહરણનો આરોપ લગાવ્યો હતો. જોકે એક નહેરમાં કોહવાઈ ગયેલા શરીરવાળી એક યુવતીનો મૃતદેહ મળતાં પોલીસે તેમને ઓળખ માટે બોલાવ્યા. લાશ કોહવાઈ જવાને કારણે ફૂલી ગઈ હતી અને ત્વચા કાળી પડી ગઈ હોવાથી તેમને એ પોતાની દીકરી હોય એવું લાગ્યું. મલખાનભાઈ દીકરીનું શબ લઈ આવ્યા અને તેના અગ્નિ સંસ્કાર પણ કરી દીધા. જોકે આ કંઈ મૃત્યુ નહોતું, પણ અપહરણ અને હત્યા છે એવું મલખાનનું કહેવું હતું અને તેણે એ માટે ગામની મનોજ નામની વ્યક્તિ તરફ શંકા કરી હતી. મનોજ લાપતા હતો, પરંતુ તેના મોબાઇલના લોકેશન પરથી પોલીસે તપાસ કરી તો ઝાંસી પાસેના એક ગામમાં મનોજ મળી ગયો હતો. જોકે કહાનીમાં ટ્વિસ્ટ એ હતો કે મનોજે ખરેખર શિવાનીનું અપહરણ કર્યું હતું અને શિવાની તેની પાસે જીવતી બંધક બનાવેલી હાલતમાં હતી. પોલીસ માટે હવે નવો કોયડો ઊભો થયો છે કે જો શિવાની જીવતી છે તો પછી ૯ દિવસ પહેલાં પિતાએ જેને દીકરી સમજીને અગ્નિ સંસ્કાર કરી નાખ્યા એ મૃતદેહ કોનો હતો? તેની હત્યા કોણે કરી હતી? હવે તો મૃતદેહ પણ નથી ત્યારે એની ઓળખ કરવાનું અસંભવ છે.


Whatsapp-channel Whatsapp-channel

19 June, 2025 06:58 AM IST | Hamirpur | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK