Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > આ ખરેખર ગૌતમ ગંભીર યુગની શરૂઆત

આ ખરેખર ગૌતમ ગંભીર યુગની શરૂઆત

Published : 14 May, 2025 07:46 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભૂતપૂર્વ ભારતીય સ્પિનર રવિચન્દ્રન અશ્વિને પોતાની યુટ્યુબ ચૅનલ પર રોહિત શર્મા અને વિરાટ કોહલીના ટેસ્ટ-ક્રિકેટ રિટાયરમેન્ટ વિશે મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું: આ ખરેખર ગૌતમ ગંભીર યુગની શરૂઆત છે, વિરાટની ઊર્જા અને રોહિત શર્માની ધીરજની ખોટ સાલશે: આર. અશ્વિન

રવિચંદ્રન અશ્વિન

રવિચંદ્રન અશ્વિન


ભૂતપૂર્વ ભારતીય સ્પિનર રવિચન્દ્રન અશ્વિને પોતાની યુટ્યુબ ચૅનલ પર રોહિત શર્મા અને વિરાટ કોહલીના ટેસ્ટ-ક્રિકેટ રિટાયરમેન્ટ વિશે મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. આ ઑલરાઉન્ડર કહે છે, ‘મને ખબર નહોતી કે (રોહિત અને કોહલી) બન્ને એકસાથે નિવૃત્તિ લેશે. આ ભારતીય ક્રિકેટ માટે કસોટીનો સમય હશે અને હું કહીશ કે આ ખરેખર (હેડ કોચ) ગૌતમ ગંભીર યુગની શરૂઆત છે. તેમની નિવૃત્તિ ચોક્કસપણે નેતૃત્વમાં ખાલીપો છોડી દેશે. તમે અનુભવ ખરીદી શકતા નથી, ખાસ કરીને આવી ઇંગ્લૅન્ડ-ટૂર પર. વિરાટની ઊર્જા અને રોહિતની ધીરજની ખોટ સાલશે. ઇંગ્લૅન્ડ-ટૂર કરનારી ટીમ સંપૂર્ણપણે નવી ટીમ હશે, એક બદલાયેલી ટીમ જેમાં જસપ્રીત બુમરાહ કદાચ સૌથી સિનિયર પ્લેયર હશે. તે સ્વાભાવિક રીતે કૅપ્ટન્સી માટેના વિકલ્પોમાંથી એક છે; મને લાગે છે કે તે કૅપ્ટન્સીને લાયક છે, પરંતુ સિલેક્ટર્સ તેની શારીરિક ક્ષમતાના આધારે નિર્ણય લેશે.’ 


બૉર્ડર-ગાવસકર ટ્રોફી 
ટેસ્ટ-સિરીઝની વચ્ચેથી ઇન્ટરનૅશનલ ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ લેનાર અશ્વિન કહે છે, ‘મને પ્રામાણિકપણે લાગે છે કે કોહલી પાસે ટેસ્ટ-ક્રિકેટ રમવા માટે ચોક્કસપણે એક કે બે વર્ષ બાકી હતાં. રોહિતે ઓછામાં ઓછું ઇંગ્લૅન્ડ ટેસ્ટ-સિરીઝ સુધી રમવાનું હતું, કારણ કે ટીમમાં નેતૃત્વનો અભાવ છે.’


Whatsapp-channel Whatsapp-channel

14 May, 2025 07:46 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK