Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ભારતીય મૂળના બ્રિટિશ અર્થશાસ્ત્રી લૉર્ડ મેઘનાદ દેસાઈનું નિધન

ભારતીય મૂળના બ્રિટિશ અર્થશાસ્ત્રી લૉર્ડ મેઘનાદ દેસાઈનું નિધન

Published : 30 July, 2025 09:56 AM | IST | London
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પેન્સિલ્વેનિયા યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં PhD કર્યા પછી તેઓ લંડન સ્કૂલ ઑફ ઇકૉનૉમિક્સમાં જોડાઈ ગયા હતા. ભારતથી દૂર રહેવા છતાં મેઘનાદ દેસાઈ નિરંતર ભારત અને ભારતના અર્થતંત્ર વિશે લખાણ કરતા રહ્યા હતા

મેઘનાદ દેસાઈ

મેઘનાદ દેસાઈ


ગઈ કાલે ભારતીય મૂળના બ્રિટિશ અર્થશાસ્ત્રી લૉર્ડ મેઘનાદ દેસાઈનું ૮૫ વર્ષની ઉંમરે અવસાન થયું હતું. ભારત-બ્રિટનના સંબંધોને મજબૂત કરવામાં તેમની મોટી ભૂમિકા રહી છે. ૧૯૯૧માં તેમને બ્રિટનની સંસદમાં સ્થાન મળ્યું હતું. ૨૦૦૮માં ભારત સરકારે તેમને પદ‌્મ વિભૂષણથી સન્માનિત કર્યા હતા.


મેઘનાદ દેસાઈ ૧૯૪૦માં વડોદરામાં જન્મ્યા હતા. પેન્સિલ્વેનિયા યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં PhD કર્યા પછી તેઓ લંડન સ્કૂલ ઑફ ઇકૉનૉમિક્સમાં જોડાઈ ગયા હતા. ભારતથી દૂર રહેવા છતાં મેઘનાદ દેસાઈ નિરંતર ભારત અને ભારતના અર્થતંત્ર વિશે લખાણ કરતા રહ્યા હતા. તેમના મૃત્યુ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક મહાનુભાવોએ શોક પ્રગટ કર્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

30 July, 2025 09:56 AM IST | London | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK