Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મહાપુરુષોનું અપમાન કરનારાને ૧૦ વર્ષની સજા કરવાનો કાયદો બનાવો

મહાપુરુષોનું અપમાન કરનારાને ૧૦ વર્ષની સજા કરવાનો કાયદો બનાવો

Published : 28 March, 2025 07:35 AM | Modified : 29 March, 2025 06:47 AM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

છત્રપતિ શિવાજી મહારાજના વંશજ ઉદયનરાજે ભોસલેએ ગૃહપ્રધાન અમિત શાહને મળીને માગણી કરી

ઉદયનરાજે ભોસલેએ ગઈ કાલે દિલ્હીમાં અમિત શાહની મુલાકાત કરી હતી.

ઉદયનરાજે ભોસલેએ ગઈ કાલે દિલ્હીમાં અમિત શાહની મુલાકાત કરી હતી.


મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક સમયથી મહાપુરુષોનું અપમાન અને ઔરંગઝેબનાં ગુણગાન કરનારાં નિવેદનો થઈ રહ્યાં છે એટલે છત્રપતિ શિવાજી મહારાજ સહિતના મહાપુરુષોનું અપમાન કરનારાઓ સામે બિનજામીનપાત્ર ગુનો નોંધીને તેમને ૧૦ વર્ષની સજા થાય એવો કાયદો બનાવવાની માગણી છત્રપતિ શિવાજી મહારાજના વંશજ ઉદયનરાજે ભોસલેએ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને મળીને ગઈ કાલે કરી હતી. આ સિવાય ઉદયનરાજેએ ઐતિહાસિક ફિલ્મો માટે સેન્સર બોર્ડ ઉપરાંત ઐતિહાસિક નિષ્ણાતોની સમિતિની બનાવવાની રજૂઆત પણ કરી હતી.


અમિત શાહ સાથેની બેઠક વિશે ઉદયનરાજે ભોસલેએ પત્રકારોને કહ્યું હતું કે ‘છત્રપતિ શિવાજી મહારાજે સર્વધર્મ સમભાવનો વિચાર કરીને સ્વરાજની સ્થાપના કરી હતી. તેમણે રાજ્યના કારભારમાં જનતાને સહભાગી બનાવીને લોકશાહીનો પાયો નાખ્યો હતો. તેમણે લોકોના કલ્યાણ માટે જીવન ખપાવ્યું; પરંતુ કેટલાક વિકૃત માનસિકતા ધરાવતા લોકો ખૂબ જ ગંદી રીતે શિવરાય, છત્રપતિ સંભાજી મહારાજ અને રાજમાતા જીજાબાઈનું અપમાન થાય એવી ટિપ્પણી કરે છે. આવાં નિવેદનોથી કાયદો અને વ્યવસ્થા ખરાબ થવાની સાથે સમાજનું વિભાજન થાય છે. આવા લોકોનું મોઢું બંધ કરાવવાની તાકાત શિવપ્રેમીઓમાં છે, પણ અમે સંયમ રાખ્યો છે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહાપુરુષોનું અપમાન કરનારાઓ સામે કડક કાયદો બનાવીને તેમને ૧૦ વર્ષની સજા થાય એવી જોગવાઈ કરવી જોઈએ. સરકાર આવો કાયદો નહીં બનાવે તો કોઈ પણ શિવાજી મહારાજ જેવા મહાપુરુષનું અપમાન કરતું રહેશે. બીજું, છત્રપતિ શિવાજી મહારાજ સહિતના મહાપુરુષો પર ફિલ્મ, ટીવી-સિરિયલ, વેબસિરીઝ અને ડૉક્યુમેન્ટરીઓ બની રહી છે એને સેન્સર બોર્ડ મંજૂરી આપે છે; પણ ઘણી વાર ઐતિહાસિક પુરાવા ઉપરાંતની રજૂઆત કરવામાં આવે છે ત્યારે વિવાદ થાય છે. આથી સરકારોએ આ માટે ઇતિહાસના જાણકારોની એક સમિતિ બનાવી જોઈએ, જે સેન્સર બોર્ડને ઐતિહાસિક તથ્યોની માહિતી આપશે તો વિવાદ ટાળી શકાશે.’


Whatsapp-channel Whatsapp-channel

29 March, 2025 06:47 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK