દેશના રોજ કોરોનાના 40 થી 50 હજાર જેટલા કેસ નોંધાય છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 42,123 કેસ સામે આવ્યાં છે,જ્યારે 3998 લોકોના મોત થયા છે.
પ્રતીકાત્મક તસવીર
દેશમાં કોરોનાનું સંક્રમણ ઓછુ થયુ છે પરંતુ કોરોનાનો કાળ હજી સાવ ગયો નથી. તેથી કોરોનાને હળવાશથી લેવાની ભુલ ના કરવી. દરરોજ કોરનાના 40 થી 50 હજાર કેસ નોંધાય છે. જોકે પહેલા કરતાં આ આંકડો ઘટ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 42,123 નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન 3998 લોકોના કોરોનાને કારણે મોત થયા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 42,123 નવા કેસ નોંધાયા છે. જ્યારે 3998 દર્દીઓના કોવિડ 19ને કારણે મોત થયા છે. આ સાથે દેશમાં પોઝિટિવ કેસોની કુલ સંખ્યા વધીને 3,12,16,337 થઈ છે, જ્યારે મૃત્યુઆંક 4,18,480 પર પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં 36,977 દર્દીઓને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ 3,03,90,687 દર્દીઓને રજા આપવામાં આવી છે. દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા 4,07,170 છે.
ADVERTISEMENT
મળતી માહિતી મુજબ કોવિડ -19 માટે અત્યાર સુધીમાં કુલ 44,91,93,273 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે, જેમાંથી 18,52,140 નમૂનાઓનું મંગળવારે પરીક્ષણ કરવામાં આવ્યું હતું. દેશમાં ટેસ્ટિંગ દૈનિક દર 2.27 ટકા છે. છેલ્લા 30 દિવસથી તે સતત ત્રણ ટકાથી ઓછો છે જ્યારે સાપ્તાહિક દર 2.09% છે. અત્યાર સુધીમાં કુલ 3,03,90,687 લોકો કોરોના મુક્ત થયા છે.

