Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > Corona Updates: દેશમાં નવા 42,123 કેસ નોંધાયા, 3998 દર્દીઓના મોત

Corona Updates: દેશમાં નવા 42,123 કેસ નોંધાયા, 3998 દર્દીઓના મોત

Published : 21 July, 2021 12:23 PM | Modified : 21 July, 2021 05:50 PM | IST | mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

દેશના રોજ કોરોનાના 40 થી 50 હજાર જેટલા કેસ નોંધાય છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 42,123 કેસ સામે આવ્યાં છે,જ્યારે 3998 લોકોના મોત થયા છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


દેશમાં કોરોનાનું સંક્રમણ ઓછુ થયુ છે પરંતુ કોરોનાનો કાળ હજી સાવ ગયો નથી. તેથી કોરોનાને હળવાશથી લેવાની ભુલ ના કરવી. દરરોજ કોરનાના 40 થી 50 હજાર કેસ નોંધાય છે. જોકે પહેલા કરતાં આ આંકડો ઘટ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 42,123 નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન 3998 લોકોના કોરોનાને કારણે મોત થયા છે.


સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 42,123 નવા કેસ નોંધાયા છે. જ્યારે 3998 દર્દીઓના કોવિડ 19ને કારણે મોત થયા છે. આ સાથે દેશમાં પોઝિટિવ કેસોની કુલ સંખ્યા વધીને 3,12,16,337 થઈ છે, જ્યારે મૃત્યુઆંક 4,18,480 પર પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં 36,977 દર્દીઓને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ 3,03,90,687 દર્દીઓને રજા આપવામાં આવી છે. દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા 4,07,170 છે.  



મળતી માહિતી મુજબ કોવિડ -19 માટે અત્યાર સુધીમાં કુલ 44,91,93,273 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે, જેમાંથી 18,52,140 નમૂનાઓનું મંગળવારે પરીક્ષણ કરવામાં આવ્યું હતું. દેશમાં ટેસ્ટિંગ દૈનિક દર 2.27 ટકા છે. છેલ્લા 30 દિવસથી તે સતત ત્રણ ટકાથી ઓછો છે જ્યારે સાપ્તાહિક દર 2.09% છે. અત્યાર સુધીમાં કુલ 3,03,90,687 લોકો કોરોના મુક્ત થયા છે. 


Whatsapp-channel Whatsapp-channel

21 July, 2021 05:50 PM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK