Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner

આ પણ કેરી જ છે

Published : 05 July, 2025 11:15 AM | IST | Lucknow
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

લખનઉના આમ મહોત્સવમાં ૮૦૦ પ્રજાતિની કેરી જોવા-ચાખવા મળશે

આમ મહોત્સવમાં વિચિત્ર આકારની કેરી સાથે યોગી આદિત્યનાથ. તેમને પોતાના નામની કેરી દેખાડવામાં આવી ત્યારે તેઓ મલકાયા હતા.

આમ મહોત્સવમાં વિચિત્ર આકારની કેરી સાથે યોગી આદિત્યનાથ. તેમને પોતાના નામની કેરી દેખાડવામાં આવી ત્યારે તેઓ મલકાયા હતા.


ગઈ કાલે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે લખનઉના અવધ શિલ્પગ્રામ ગ્રાઉન્ડમાં યોજાયેલા આમ મહોત્સવનો શુભારંભ કર્યો હતો. આ મહોત્સવમાં ૮૦૦થી વધુ પ્રજાતિની કેરીઓ રજૂ થઈ છે. એમાંથી એક કેરીની પ્રજાતિને યોગી આમ પણ નામ આપવામાં આવ્યું છે. ૩ દિવસ ચાલનારા આ મહોત્સવમાં ૮૦૦થી વધુ જાતની કેરીઓ જોવા અને એનો સ્વાદ માણવા મળશે. યોગી આદિત્યનાથે આ પ્રસંગે કેરીનાં કેટલાંક કન્ટેનર્સ લંડન અને દુબઈ મોકલવા માટે લીલી ઝંડી આપી હતી.


ઉત્તર પ્રદેશમાં ૩.૨૫ લાખ હેક્ટરમાં કેરીના બાગ છે જેમાં ૬૧.૪૬ લાખ મેટ્રિક ટન કેરી પેદા થાય છે. ભારતમાં પેદા થતી કેરીમાં ૨૭ ટકા હિસ્સો ઉત્તર પ્રદેશનો છે. સવારે ૧૧થી સાંજે ૬ વાગ્યા સુધી ઓપન રહેનારા આમ મહોત્સવમાં કેરીઓ ઉપરાંત કેરીનું અથાણું, મુરબ્બા અને અન્ય પ્રોડક્ટ્સ પણ મળશે.


Whatsapp-channel Whatsapp-channel

05 July, 2025 11:15 AM IST | Lucknow | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK