પ્રશ્નમાં રહેલા પ્રોડક્ટમાં ભગવાન જગન્નાથનો ચહેરો ફ્લોર મૅટ પર પ્રિન્ટ કરવામાં આવ્યો છે, જે પગ લૂછવા માટે બનાવવામાં આવ્યું છે. ભારતના લોકોની ધાર્મિક ભાવનાઓને વધુ દુઃખાવવા માટે સાઇટ પર પ્રોડક્ટ પર પગ મૂકતા કોઈનો ફોટો પણ છે.
તસવીર સૌજન્ય (X)
ચીનની માલિકીની એક લોકપ્રિય વર્લ્ડ ઈ-કોમર્સ સાઇટ AliExpress દ્વારા એક અત્યંત ઘૃણાસ્પદ હરકત કરી હોવાનું સામે આવ્યું છે. અલીએક્સપ્રેસ પર ભારતમાં ઓડિશાના સૌથી પવિત્ર દેવતાઓમાંના એક ભગવાન જગન્નાથની તસવીર ધરાવતું ડોરમેટ (પગલુછણિયું) વેચવામાં આવ્યા બાદ એક મોટો ધાર્મિક વિવાદ ઉભો થયો છે. આ પ્રોડક્ટે હિન્દુ ભક્તોમાં, ખાસ કરીને ઓડિશામાં, જ્યાં ભગવાન જગન્નાથ સૌથી વધુ પૂજનીય છે, મોટો આક્રોશ ફેલાવ્યો છે.
ભક્તો ભગવાન જગન્નાથના અપમાનજનક ચિત્રણની નિંદા કરી રહ્યા છે
ADVERTISEMENT
What’s wrong with you, @AliExpress_EN?⁰Are you playing with the emotions of millions of devotees? Making Lord Jagannath a doormat? This is blasphemy!@SJTA_Puri, @arvindpadhee, @CMO_Odisha — please take necessary action. pic.twitter.com/IMOX6S9Wb8
— Ipsitaa Mahapatra (@ipsitamahapatr3) July 28, 2025
પ્રશ્નમાં રહેલા પ્રોડક્ટમાં ભગવાન જગન્નાથનો ચહેરો ફ્લોર મૅટ પર પ્રિન્ટ કરવામાં આવ્યો છે, જે પગ લૂછવા માટે બનાવવામાં આવ્યું છે. ભારતના લોકોની ધાર્મિક ભાવનાઓને વધુ દુઃખાવવા માટે સાઇટ પર પ્રોડક્ટ પર પગ મૂકતા કોઈનો ફોટો પણ છે. પ્રોડક્ટ માટે લખવામાં આવ્યું છે કે તે ‘મોઈશ્ચર શોષક` અને `એન્ટિ-સ્લિપ` છે. આ પ્રોડક્ટથી લોકોનો ગુસ્સો વધુ તીવ્ર બન્યો છે. ભક્તોને તેને ધાર્મિક અસંવેદનશીલતાનું સ્પષ્ટ કૃત્ય ગણાવ્યું.
આ બાબત પર સખત પ્રતિક્રિયા આપતા, શ્રી જગન્નાથ મંદિર વ્યવસ્થાપન સમિતિના ભૂતપૂર્વ સભ્ય માધબ પૂજાપંડાએ પોતાનો રોષ વ્યક્ત કર્યો. તેમણે મંદિર વહીવટને ઓડિશા રાજ્ય સરકાર અને ભારતની કેન્દ્ર સરકાર બન્નેને તાત્કાલિક ચેતવણી આપવા વિનંતી કરી અને આવી અપમાનજનક વસ્તુઓના વેચાણ અને માર્કેટિંગને રોકવા માટે ચીની અધિકારીઓ સાથે રાજદ્વારી સંપર્ક સાધવાની પણ હાકલ કરી. "આ ફક્ત એક અલગ કિસ્સો નથી. એક એવો દાખલો વધી રહ્યો છે જ્યાં મહાપ્રસાદ અને પતિતપવન બાણા જેવી પવિત્ર જગન્નાથ સંબંધિત પરિભાષાનો નફા માટે દુરુપયોગ થઈ રહ્યો છે. જોકે આ ધાર્મિક પ્રતીકો અને પદોને કાયદેસર રીતે સુરક્ષિત રાખવા માટે પગલાં લેવાનું શરૂ કરવામાં આવ્યું છે, પરંતુ આ પ્રક્રિયાને ઝડપી બનાવવાની જરૂર છે," પૂજાપાંડાએ જણાવ્યું.
બૌદ્ધિક સંપદા સંરક્ષણ માટે વધતી જતી માગણીઓ
છેલ્લા અનેક સમયથી ઘણા હિન્દુ ધાર્મિક જૂથો અને મંદિર સમિતિઓ જગન્નાથ પરંપરા સાથે સંકળાયેલા પવિત્ર પ્રતીકો, છબીઓ અને શબ્દસમૂહો પર બૌદ્ધિક સંપદા અધિકારોની હિમાયત કરી રહ્યા છે. નિષ્ણાતો માને છે કે પેટન્ટ અને ટ્રેડમાર્કના ઝડપી અમલીકરણથી ભવિષ્યમાં આવા અપમાનજનક વ્યાપારીકરણને અટકાવી શકાય છે.
સોશિયલ મીડિયા વિરોધથી ફાટી નીકળ્યો
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ભક્તોએ પ્રોડક્ટની નિંદા કરી છે, તેને હટાવવા અને વેચનાર અને પ્લેટફોર્મ પાસેથી માફી માગવાની હાકલ કરી છે. #RespectJagannath અને #BoycottAliExpress જેવા હૅશટૅગ ભારતમાં ટ્રેન્ડ કરી રહ્યા છે, જે કાર્યવાહીની માગને વધુ મજબૂત બનાવે છે. ભગવાન જગન્નાથ માત્ર એક દેવતા નથી પરંતુ ભારત અને ઓડિશાની ઓળખ અને શ્રદ્ધાનું ખૂબ જ આદરણીય પ્રતીક છે. તેમની છબીનો કોઈપણ દુરુપયોગ વ્યાપક આધ્યાત્મિક અને ભાવનાત્મક નુકસાન પહોંચાડી શકે છે, જેના માટે આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મને જવાબદાર ઠેરવવા જોઈએ.

