Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > સંવિધાન માથે લઈને નાચનારા લોકોએ જ એને કચડ્યું : વડા પ્રધાન

સંવિધાન માથે લઈને નાચનારા લોકોએ જ એને કચડ્યું : વડા પ્રધાન

Published : 18 August, 2025 11:32 AM | Modified : 18 August, 2025 01:40 PM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દિલ્હીમાં એક સમયે એવો નિયમ હતો કે સૂચના વગર કોઈ સફાઈકર્મી કામ પર ન આવ્યો તો તેને જેલમાં મોકલી દેવામાં આવતો.

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી


ગઈ કાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં ૧૧,૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા દ્વારકા એક્સપ્રેસવે અને અર્બન એક્સ્ટેન્શન રોડનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે પોતાના ભાષણમાં વિપક્ષો પર નિશાન સાધતાં કહ્યું હતું કે ‘દિલ્હીમાં એક સમયે એવો નિયમ હતો કે સૂચના વગર કોઈ સફાઈકર્મી કામ પર ન આવ્યો તો તેને જેલમાં મોકલી દેવામાં આવતો. સંવિધાનને માથે લઈને નાચનારા આ લોકોએ જ સંવિધાનને કચડી નાખ્યું હતું.’


વેપારકરાર માટે ભારત અને અમેરિકાની છઠ્ઠા રાઉન્ડની ચર્ચા સ્થગિત



ભારત સરકારનાં સૂત્રો તરફથી જાણકારી મળી હતી કે ભારત-અમેરિકા વેપારકરાર માટે આવનારી અમેરિકાની ટીમે એનો પ્રવાસ હમણાં રદ કરી દીધો છે. અમેરિકાના પ્રતિનિધિઓની ટીમ ૨૫ ઑગસ્ટે ભારત આવવાની હતી. ભારત અને અમેરિકના વિવિધ સ્તરના પ્રતિનિધિઓ વચ્ચે વેપારકરાર માટે અત્યાર સુધી પાંચ રાઉન્ડની ચર્ચા થઈ ચૂકી છે. છેલ્લે પાંચમા રાઉન્ડ માટે ભારતની ટીમ ૧૪થી ૧૮ જુલાઈ સુધી અમેરિકા ગઈ હતી.


Whatsapp-channel Whatsapp-channel

18 August, 2025 01:40 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK