આશરે ૭૦ અધિકારીઓ, સંસદસભ્યો અને વિધાનસભ્યો માટે પણ RT-PCR ટેસ્ટ ફરજિયાત કરવામાં આવી હતી.
નરેન્દ્ર મોદી
દેશમાં કોરોનાના વધી રહેલા કેસને પગલે સુરક્ષા અને સતર્કતાનાં કારણોસર વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળવા આવનારા દરેક જણ માટે કોરોનાની RT-PCR ટેસ્ટ ફરજિયાત બનાવી દેવામાં આવી છે.
ઑપરેશન સિંદૂર વિશે ૩૩ દેશોની મુલાકાત લઈને આવેલા ૭ પ્રતિનિધિમંડળના સભ્યો મંગળવારે સાંજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. આ બધા સભ્યો માટે પણ કોરોનાની ટેસ્ટ ફરજિયાત કરવામાં આવી હતી.
ADVERTISEMENT
ગઈ કાલે સાંજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી BJPના તમામ અધિકારીઓ, દિલ્હીના મુખ્ય પ્રધાન, દિલ્હીના તમામ ૭ સંસદસભ્યો અને BJPના તમામ વિધાનસભ્યોને રાત્રિભોજન માટે તેમના નિવાસસ્થાને આમંત્રણ આપ્યું હતું. આશરે ૭૦ અધિકારીઓ, સંસદસભ્યો અને વિધાનસભ્યો માટે પણ RT-PCR ટેસ્ટ ફરજિયાત કરવામાં આવી હતી.

