Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > કાશીના ઘાટોની અગાશી ભરાઈ જતાં હવે ગલીઓમાં અગ્નિસંસ્કારની લાઇન લાગી

કાશીના ઘાટોની અગાશી ભરાઈ જતાં હવે ગલીઓમાં અગ્નિસંસ્કારની લાઇન લાગી

Published : 02 August, 2025 12:47 PM | IST | Varanasi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જોકે અગાશી પર પણ વધુમાં વધુ એકસાથે ૧૦ જણના જ અગ્નિસંસ્કાર થઈ શકે છે

કમર સમાણા પાણીમાંથી નનામી લઈ જતા પરિવારજનો અને કાશીની સાંકડી ગલીઓમાં દાહસંસ્કાર

કમર સમાણા પાણીમાંથી નનામી લઈ જતા પરિવારજનો અને કાશીની સાંકડી ગલીઓમાં દાહસંસ્કાર


છેલ્લા એક મહિનામાં સતત ચોથી વાર વારાણસીના મુખ્ય ઘાટો ડૂબી જાય એટલો મુશળધાર વરસાદ પડ્યો છે. આ વખતે તો ગંગા નદીનું સ્તર એટલું વધી ગયું છે કે તમામ મુખ્ય ઘાટો પાણીમાં ડૂબી ગયા છે. થોડા દિવસ પહેલાં મણિકર્ણિકા ઘાટ પાસેની અગાશી પર અગ્નિસંસ્કાર કરવાની નોબત આવી હતી. જોકે અગાશી પર પણ વધુમાં વધુ એકસાથે ૧૦ જણના જ અગ્નિસંસ્કાર થઈ શકે છે અને છેલ્લા ૪૮ કલાકમાં તો જળસ્તર વધી જતાં ઘાટ પાસેની સાંકડી ગલીઓમાં દાહસંસ્કાર થવા માંડ્યા હતા. ગલીઓમાં નનામી સાથે રાહ જોતા લોકોની લાઇન લાગી ગઈ હતી.  


દશાશ્વમેધ અને શીતલા ઘાટ પર ગંગાઆરતી પણ ઘરોની અગાશી પર થવા માંડી છે જ્યારે અસ્સી ઘાટ, તુલસી ઘાટ, નમો ઘાટ, પંચગંગા ઘાટ, મણિકર્ણકા ઘાટ, હરિશ્ચંદ્ર ઘાટ સંપૂર્ણપણે જળમગ્ન થઈ ચૂક્યા છે.



ગંગાના પૂરમાં પ્રયાગરાજ પણ જળમગ્ન


ગઈ કાલે ભારે વરસાદને કારણે પ્રયાગરાજના રાજાપુર વિસ્તારમાં ગંગાનું પાણી વધી જતાં શહેરમાં પાણી ફરી વળ્યાં હતાં. 


Whatsapp-channel Whatsapp-channel

02 August, 2025 12:47 PM IST | Varanasi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK