Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > પચીસ લાખના ખર્ચે બનેલું તળાવ ચોરાઈ ગયું

પચીસ લાખના ખર્ચે બનેલું તળાવ ચોરાઈ ગયું

Published : 04 September, 2025 01:34 PM | IST | Madhya Pradesh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ચોરી ભ્રષ્ટાચારનું પરિણામ છે. સરકારી દસ્તાવેજોમાં તળાવ બનાવ્યાં હોવાના દાવા થાય છે, પણ હકીકતમાં કંઈ જ થયું નથી હોતું

પચીસ લાખના ખર્ચે બનેલું તળાવ ચોરાઈ ગયું

અજબગજબ

પચીસ લાખના ખર્ચે બનેલું તળાવ ચોરાઈ ગયું


મધ્ય પ્રદેશના રીવામાં એક વિચિત્ર ઘટના ઘટી છે. અહીં એક તળાવ ખોવાઈ ગયું હોવાની જાહેરાત થઈ છે. રીવા જિલ્લાના કઠોલી ગામમાં લગભગ પચીસ લાખ રૂપિયાના ખર્ચે બનેલું અમૃત સરોવર ગાયબ થઈ ગયું છે. આ અનોખી ફરિયાદ પહેલાં ગ્રામપંચાયતમાં થઈ અને પછી હવે કલેક્ટર સુધી પહોંચી છે. રાઇટ ટુ ઇન્ફર્મેશન અંતર્ગત મળેલી માહિતી અનુસાર કઠોલી ગામમાં ૨૦૨૩ની નવમી ઑગસ્ટે અમૃત સરોવરનું નિર્માણ પૂરું થયું હતું. એમાં લગભગ પચીસ લાખ રૂપિયા વપરાયા હતા. આ તળાવ ભૂમિગત જળસ્તર વધારવા અને ગામની પાણીની અછતના ઉકેલ માટે બનાવવામાં આવ્યું હતું, પરંતુ જ્યારે ગ્રામીણો એ તળાવ જોવા પહોંચ્યા તો ખાલી ઝાડીઓવાળી જમીન મળી હતી.


આ કંઈ એક ગામનો મામલો નથી. અખિલેશ સિંહ નામના એક ગામવાસીએ ફરિયાદ કરી છે કે આસપાસની આઠથી ૧૦ પંચાયતોનાં અન્ય તળાવોની પણ તપાસ કરવી જોઈએ, કેમ કે ત્યાંનાં તળાવો પણ રાતોરાત ગાયબ થઈ ચૂક્યાં છે. આ ચોરી ભ્રષ્ટાચારનું પરિણામ છે. સરકારી દસ્તાવેજોમાં તળાવ બનાવ્યાં હોવાના દાવા થાય છે, પણ હકીકતમાં કંઈ જ થયું નથી હોતું.


Whatsapp-channel Whatsapp-channel

04 September, 2025 01:34 PM IST | Madhya Pradesh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK