૧૭ મેએ રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ (RCB) અને કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) વચ્ચેની મૅચથી IPL 2025 ફરીથી શરૂ થશે. એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આયોજિત આ મૅચ માટે કોહલીના ફૅન્સ તેને એક સ્પેશ્યલ સન્માન આપવાના આયોજનની તૈયારી કરી રહ્યા છે.
ફાઇલ તસવીર
૧૭ મેએ રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ (RCB) અને કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) વચ્ચેની મૅચથી IPL 2025 ફરીથી શરૂ થશે. એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આયોજિત આ મૅચ માટે કોહલીના ફૅન્સ તેને એક સ્પેશ્યલ સન્માન આપવાના આયોજનની તૈયારી કરી રહ્યા છે.
RCB અને કોહલીના વફાદાર ફૅન્સ સોશ્યલ મીડિયા પર આ મૅચમાં ભારતની ટેસ્ટ-જર્સી અથવા સંપૂર્ણપણે વાઇટ ડ્રેસ પહેરીને આવવા અન્ય ક્રિકેટ-ફૅન્સને વિનંતી કરતી પોસ્ટ વાઇરલ કરી રહ્યા છે. ૨૦-૨૦ ઓવરની રોમાંચક મૅચમાં જો સ્ટેડિયમમાં તમામ ફૅન્સ પરંપરાગત ક્રિકેટ ફૉર્મેટની જર્સી પહેરીને આવશે તો એ હાલમાં જ ટેસ્ટ-રિટાયરમેન્ટ લેનાર કોહલીની કરીઅરની સૌથી યાદગાર ક્ષણ બની રહેશે.

