Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > નંદુરબાર જિલ્લામાં યાત્રાળુઓની પિક-અપ વૅન પલટી ખાઈ ગઈ, આઠનાં મોત અને ૧૫ ઘાયલ

નંદુરબાર જિલ્લામાં યાત્રાળુઓની પિક-અપ વૅન પલટી ખાઈ ગઈ, આઠનાં મોત અને ૧૫ ઘાયલ

Published : 19 October, 2025 08:21 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કેટલાક લોકોની હાલત ક્રિટિકલ હોવાથી મૃત્યુનો આંકડો વધી શકે એવી શક્યતાઓ દર્શાવાઈ રહી છે. 

નંદુરબારમાં પિક-અપ વૅન પલટી ખાઈ જતાં યાત્રાળુઓ એની નીચે દબાઈ ગયા હતા.

નંદુરબારમાં પિક-અપ વૅન પલટી ખાઈ જતાં યાત્રાળુઓ એની નીચે દબાઈ ગયા હતા.


નંદુરબાર જિલ્લાના ચાંદશૈલી ઘાટમાં શુક્રવારે મધરાત બાદ થયેલા અકસ્માતમાં પિક-અપ વૅન પલટી ખાઈ જવાથી ૮ યાત્રાળુઓનાં મોત થયાં હતાં અને ૧૫ જેટલા લોકો ગંભીર રીતે ઘવાયા હોવાથી તેમને હૉસ્પિટલમાં લઈ જવાયા હતા. તેમાંના કેટલાક લોકોની હાલત ક્રિટિકલ હોવાથી મૃત્યુનો આંકડો વધી શકે એવી શક્યતાઓ દર્શાવાઈ રહી છે. 

પિક-અપ વૅનના યાત્રાળુઓ અસ્તંબા યાત્રામાંથી પાછા ફરી રહ્યા હતા ત્યારે ધાડગાંવ-તળોદા ટેકરી પાસે આ અકસ્માત થયો હતો. વૅનમાં યાત્રાળુઓ હતા જેમાં મોટા ભાગે યુવાનો હતા અને તેઓ નંદુરબાર જિલ્લાના ભુરાટી અને શહાદા તાલુકાના વૈજાલીના રહેવાસી હતા. ઘાટ વિસ્તારમાં જોખમી વળાંક પર ડ્રાઇવરે સ્ટીઅરિંગ વ્હીલ પરથી કન્ટ્રોલ ગુમાવતાં વૅન પલટી ખાઈ ગઈ હતી. વૅન ઉપરથી ખુલ્લી હોવાથી બધા પહેલાં નીચે પટકાયા હતા અને તેમના પર વૅન આડી પડી ગઈ હતી એટલે જાનહાનિ વધુ થઈ હતી.


Whatsapp-channel Whatsapp-channel

19 October, 2025 08:21 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK