Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > મોદીનું સ્વતંત્રતા દિવસનું ભાષણ નાગરિકો લખશે

મોદીનું સ્વતંત્રતા દિવસનું ભાષણ નાગરિકો લખશે

Published : 02 August, 2025 11:20 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વડા પ્રધાને ભાષણ કરવા માટે લોકો પાસેથી સૂચનો મગાવ્યાં

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ફાઇલ તસવીર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ફાઇલ તસવીર


૧૫ ઑગસ્ટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીના લાલ કિલ્લા પરથી દેશને સંબોધન કરતા હોય છે. આ વખતે તેઓ સતત બારમી વખત લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને સંબોધિત કરશે. આ વર્ષે વડા પ્રધાને તેમના ભાષણમાં મુદ્દાઓનો સમાવેશ કરવા માટે જનતા પાસેથી સૂચનો મગાવ્યાં છે. આમ આ વખતે નરેન્દ્ર મોદી લાલ કિલ્લા પરથી જે ભાષણ આપશે એ ભારતના લોકો દ્વારા લખવામાં આવશે.


આ મુદ્દે નરેન્દ્ર મોદીએ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર લખ્યું હતું કે ‘જેમ-જેમ આપણે આ વર્ષના સ્વતંત્રતા-દિવસ નજીક આવી રહ્યા છીએ, હું મારા સાથી ભારતીયો પાસેથી સાંભળવા આતુર છું. આ વર્ષના સ્વતંત્રતા દિવસના ભાષણમાં તમે કયા વિષયો અથવા વિચારો પ્રતિબિંબિત જોવા માગો છો?’



દેશના લોકો MyGov અને NaMo ઍપની લિન્ક પર તેમના વિચારો શૅર કરી શકશે. ૧૨ ઑગસ્ટ સુધી આ લિન્ક દ્વારા વિચારો શૅર કરી શકાશે. આ લિન્ક 30 જુલાઈથી શરૂ કરવામાં આવી છે.


Whatsapp-channel Whatsapp-channel

02 August, 2025 11:20 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK